SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા ક્ષમા માગે છે, “ક્ષમા કરે, નિર્દોષ પાણી મળતાં જરાવાર લાગી તેથી મેંડું થયું. હું આપની પીડા સમજુ છું, હવે જરાય વાર નહિ લાગે.” કહીને મહાત્માએ વિષ્ટાથી ખરડેલા કપડા અને શરીર સાફ કર્યા. હવે કહે છે પધારે, મુકામે પધારે.” ત્યાં બિમાર મુનિ ગરજે છે, " કહે છે, પધારો. હરામી! આ જેતે નથી કે હું શું ચાલી શકવાને હતો?” મહાત્મા હાથ જોડી કહે, “હું જરા ભૂલ્યો, આ મારા ખભે બેસી જાઓ. ઊંચકીને લઈ જાઉં છું.” એમ કરીને બિમારને ખભે બેસાડી મહાત્મા ચાલ્યા. પિતે તપસ્વી એટલે. છેડા ઢીલા છે, ને પાછો ખભે ભાર ઊંચક્યો છે. વળી ગામડિ રસ્તે, એટલે ક્યાંક પગે જરાક ઠોકર લાગે છે. ત્યાં બિમાર મુનિ તેમના માથા પર જોરથી ટપલે ઠોકી કહે, “આંધળા! આમ ચલાય ? આ મારી કેડ જ તોડી નાખશે? આમ ને આમ કરી રસ્તામાં જ મને પૂરો કરી નાખજે.” આ સ્થિતિમાં પણ મહાત્માને એક જ બેલ છે, “ક્ષમા કરે, મારી ભૂલ થઈ. આ તમારી કેટલી મોટી બિમારી ! હવે હું બરાબર ચાલું છું.' સાધુ સેવાનું વ્રત એટલે ટપલાં પડે તે ય સાધુ પર કષાયથી કુસેવા નહિ, પણ સમતાથી સેવા જ કરવાની. ગામમાં બજાર વચ્ચેથી જતાં બિમાર મુનિ ખભા પર બેઠા બેઠા એ દુર્ગધમય પાતળા ઝાડ છોડે છે, કે એથી નાક ફાટી જાય. એક તો દુધ અને વળી પિતાનું શરીર અને કપડાં ખરડાઈ ગયા છે, છતાં મહાત્મા પાસે એક પણ બેલ એ નથી, કે “એક તે તમને ઉંચકીને લઈ જાઉં,
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy