SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ 224 અથાગ શ્રદ્ધા છે, તો બધા ધર્મ સરખા” એવું બેલાય જ કેમ? કાચ પર રત્ન જેવી શ્રદ્ધા શાની કરાય? એમ મિથ્યા માર્ગ પર અને એ માર્ગના પ્રરૂપક પર સહેજ પણ રુચિ શાની થાય? એના પર સહેજ પણ દાક્ષિણ્યમનમાં ય શાનું આવે? રત્નની કિંમત સમજતો હોય અને એના પર જેને અથાગ રાગ હોય, એ કાચના ટૂકડાનું મહત્વ જરા પણ આંકે ખરે? જૈન ધર્મ - ઇતર ધર્મ વચ્ચે તફાવત :" “ભલે આ કાચ એ બનાવટી હીરે કહેવાતું હોય, પણ હીરે તે કહેવાય જ ને?”—એમ રત્નને સાચે પારખુ બેલે ખરે? કહો, રત્નના પારખુને તે કાચ તરફ ભારે ધૃણા હોય, અને કઈ છે એ કાચને હીરામાં ખપાવનારે સામે આવી જાય તો એની સામું ય ન જુએ. કદાચ જેવું પડે તે ધૃણાથી રોકડું પરખાવી દે, કે “શું આ દુનિયાને ઠગવા નીકળ્યા છે? નરદમ કાચના ટુકડાને હીરામાં ખપાવવાની માયાજાળ ?" બસ, એ સ્થિતિ સમકિતીની હાય. એ સર્વજ્ઞના સર્વ જીવ-અહિંસામય તથા સર્વ પાપવિરતિમય મોક્ષ–માર્ગને રત્ન સમાન લેખતે હેય, અને હિંસા -ભરપૂર તથા અવિરતિ–ભરપૂર મિથ્યામાર્ગોને કાચના ટૂકડા સમાન લેખતો હોય. આદ્રકુમાર મહામુનિના ચરિત્રમાં છેલ્લે છેલ્લે કેટલી સુંદર વાત આવી! હાથી મુનિને નમે છે : આદ્રકુમાર મહામુનિના દર્શનથી અને હાથીખાઉ તાપસને પ્રતિબંધથી હાથીને તાન ચડયું તે ભારે જોખંડી સાંકળે તેડીને મહામુનિની પૂંઠે એમને નમવા માટે નાઠે.
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy