SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ નંદી મુનિ મેહને ઉદય જાગવા માંડ્યો. રાગાદિ વિકાર સળવળવા માંડ્યા, એટલે એમણે તપસ્યાનું જોર વધારી દીધું, અને પારણે ત્યાગનું જોર વધારી દીધું. છઠ અઠમ અઠાઈ વગેરે તપસ્યાઓ આદરી, પારણે પણ વિગઈ. વિનાનું લખું સુક્કું વાપરવાનું રાખ્યું કેમકે નિર્ધાર હતે. કે “તેડી નાખીશ કર્મોને ! આવી કઠોર તપસ્યાઓ અને. ત્યાગની આગળ મેહ શું કરી શકે ?" તીર્થકર ભગવાન પણ રાગાદિના ફૂરચા ઉડાડવા. ત્યાગ અને તપ આદરે છે ! ત્યાગ-તપથી તે મેહના ને કર્મોના ફુરચા ઊડે છે. માટે તો તીર્થકર ભગવાન જેવા સંસાર ત્યાગ કરી સંયમ સાથે ઘેર તપની આરાધના કરે છે. એ કરીને એમને કશી દેવતાઈ વિષયસુખ લેવાની કે અહીં મોટા માનપાન. લેવાની આકાંક્ષા નથી. એમને તો માત્ર રાગાદિ મેહના અને. કર્મોના ફુરચા ઉડાડવાની જ તમન્ના તત્પરતા છે અને ખરે.. ખર એ કાર્ય એમને સિદ્ધ થાય છે. પૂછો, ત્યાગ-તપથી મેહના કૂરચા શી રીતે ?? ત્યાગમાં રસેના ત્યાગ કર્યા અને લખું વાપરવા લીધું, એટલે રસના રાગ પર પ્રહાર પડયો. એવું લાંબા વખત સુધી. ચાલ્યું એટલે રાગ પર પ્રહારે પડતા જ જવાથી રાગ જજ.. સ્તિ થઈ જાય એમાં નવાઈ નથી. ઈષ્ટ વસ્તુ મળે છે છતાં લેવી નથી એટલે એના શગને. ઘા પડો જ, - એટલે જ આ ધ્યાનમાં રાખવાનું છે કે તપ તે સારે. કર્યો પરંતુ પછી જે પારણે ઈષ્ટ રસ ઉડાડ્યા, તે તપ વખતે.
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy