SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારસુખ ખાડામાં પડે.” આમ સંસારસુખ પર નફરત એ વૈરાગ્ય. સંસારસુખ ટકાવવાની લાલસામાં નેહીને મરતા જે પડે એવા સંસારસુખ ગેઝાર છે. - આમ સંસારસુખ ગેઝારા લાગ્યા એજ વૈરાગ્ય. આવા વૈરાગ્યના મજબૂત પાયા નાખ્યા હોય એટલે આદ્રકુમારના ભવમાં એને જાતિસ્મરણ થતાં જ મહા વૈરાગ્ય થાય એ સ્વાભાવિક છે. ભવાંતરે વૈરાગ્યાદિ મહાગુણ જળહળાવવા છે ? તે અહી એને મજબૂત પાયે નાખે પત્નીની પતિને નિયમની કેમ અટકાયત?:બંધુમતીની ભવ્ય વાણી : બંધુમતી પતિને આ સંકલ્પ પતિની આ પ્રતિજ્ઞા સાંભળતાં જ કહે છે, “જરા ઊભા રહે. આવી પ્રતિજ્ઞા ન કરે, કેમકે એથી સંભવ છે, મારે રેગ મટી જશે, હું જીવતી રહીશ; પરંતુ પછી તમે પ્રતિજ્ઞા નહિ પાળી શકે, ચારિત્ર નહિ લઈ શકે; કેમકે હું જાણું છું કે તમને મારા પર કેટલે બધે મેહ છે? મને સાજી જોઈને મેહથી તમે ઢીલા પડી જશે. એમ પ્રતિજ્ઞા ભાંગવાને અવસર આવે, અને એથી દુર્ગતિ થાય, એનાં કરતાં પ્રતિજ્ઞા ન કરે. ભલે મારે રેગ ન જાય ને મારે મરવાનું આવે. હું મરીશ તે ય ધર્મભાવનામાં મરીશ; તેથી મારી દુર્ગતિ નથી થવાની; એટલે મારા કરવામાં શું બગડી જવાનું છે? પણ તમે જે પ્રતિજ્ઞા ભાગે તે દુર્ગતિમાં જવું પડે! એના કરતાં પ્રતિજ્ઞા ન લેવી સારી.”
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy