SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 10 કે “ભગવાનને કેટલે ઉપકાર?” પેલી વિલાયતની બાઈની.. જેમ વારે વારે મનને થાય ખરું કે “પ્રભુ ! તમારે આભાર માનું છું કે મારે આ આ બની આવ્યું ?" રેજ દેવદર્શન, ઠાઠથી પૂજન, ત્રિકાળ દેવભક્તિ યાદ આવે? એમ ગુરુ, મળ્યાની કદરમાં, પ્રભાતે ઊઠતાં જ ઉપકારી પ્રભુનું સ્મરણનમસ્કારની જેમ ઉપકારી ગુરુનું સ્મરણ અને નમસ્કાર કરાય? રેજ ગુરુને વંદના અને એમની વૈયાવચ્ચ કરાય? એમના શ્રીમુખે ધર્મવાણી સંભળાય? કૃત્યાકૃત્યમાં ગુરુ યાદ કરાય કે ગુરુમહારાજે આ કરવાનું, ને આ નહિ કરવાનું, કહ્યું છે? એમ ધર્મની કદરમાં પિતાના ખાનપાન મેજની પહેલાં ધર્મ ખાતે ખરચવાનું તથા લેશ પણ ત્યાગ રાખવાનું યાદ આવે? જીવન–પ્રસંગમાં ઠામઠામ ધર્મભાવના અને ધર્મકરણ. ગોઠવી દેવાનું કરાય છે? આધુનિક જમાનાના પૂરમાં તણાયા જે સવારે ઊઠયા બરાબર ચાહપાણી, છાપા, રેડિયે સમાચાર.... વગેરે તેમજ ધંધા વેપાર, સ્નેહમીલન, વગેરે વગેરે જ યાદ આવે છે, પણ દેવ-ગુરુ-ધર્મનું કશું યાદ નથી કરાતું, કશી એમની સેવા ઉપાસના નથી કરાતી, તે ઉચ્ચ માનવ-જન્મ છતાં બિચારાં પેલા અનાર્ય દેશવાસી આદ્રકુમાર કરતાં શી. વિશેષતા રહી? આકુમારને પ્રતિમા જોતાં જાતિસ્મરણ :* આદ્રકુમાર રત્નની જિનપ્રતિમા જોઈ વિચારે છે કે આ કઈ જાતને દાગીને છે? પિતે અરીસાની સામે રહી. શું આ મસ્તકે લગાવવાને દાગીને છે?” એમ વિચારી. પ્રતિમાને પિતાના મસ્તકે રાખી અરીસામાં જુએ છે. એમાં બરાબર મેળ બેસતે નથી લાગતું, એટલે લલાટ આગળ.
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy