SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભાં થાય છે, એમ આરાધનામાં કઈ દુન્યવી સ્વાર્થ બુદ્ધિ નહિ કે “આ ધર્મ આરાધું ને મને દુન્યવી અમુક સુખ મળે,” કિન્તુ આત્મકલ્યાણની જ એક શુદ્ધ બુદ્ધિ રાખવાથી શુભ. અનુબંધે ઊભા થાય છે, ને એ ભવાંતરે સદ્બુદ્ધિ સુઝાડે છે. લખી રાખે - ધર્મસાધનાથી પુણ્ય ઊભું થાય; ને એમાં રાખેલી શુદ્ધ બુદ્ધિથી શુભાનુબ ધ ઊભા થાય. શુભાનુબંધથી સદ્દબુદ્ધિ સૂઝે છે. સદબુદ્ધિથી સદુધર્મ અને સગુણ કેળવવાનું મન થાય છે. એથી ઊલટું, દુબુદ્ધિથી કુમતિથી અધર્મ, પાપ, અને કધાદિ કષાયના ઘરના દુર્ગણે સેવવાનું મન થાય છે. એટલે સમજાશે કે એવી દુર્બદ્ધિ એ પૂર્વને અશુભ અનુબંધનું યાને પાપાનુબંધેનું ફળ છે. A એટલે આપણા જીવનમાં તપાસીએ કે આપણને જે હિંસામય આરંભ સમારંભે અને જૂઠ-અનીતિ–અન્યાય વગેરેની બુદ્ધિ સુઝે છે, તે સમજવાનું કે આપણે પૂર્વના. અશુભ અનુબંધો લઈ આવ્યાનું એ ફળ છે. એમ જો ગુસ્સે– અભિમાન–શુદ્રતા, માયા–દ્રોહ, તેમજ લેભ-તૃષ્ણા–આસક્તિ વગેરે દુર્ગુણો ફેરે છે, તે એ પણ અશુભાનુબંધનું ફળ. છે. માટે હવે સાવધાન થવાનું છે કે “અહીં પાપ અને. દુર્ગણે સેવવા ઉપર પણ જે શાબાશી લેવાય છે, અને એ દુર્ગણે દુર્ગુણ તરીકે લાગતા જ નથી. એટલે જ એ હોંશથી. સેવાય છે ને એ સેવવામાં કશું ખરાબ કર્યું લાગતું નથી, તે સમજી રાખવાનું કે એ રીતે સેવાતા એ દુર્ગણે ભવાંતર માટે નવા અશુભ અનુબંધો ઊભા કરશે, ને પૂર્વને અશુભ. અનુબંધને પુષ્ટ કરશે.” આ હિસાબ છે - દુષ્કત-દુર્ગુણે જો હોંશથી સે, પાપ-પરલેકના
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy