SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ “અશુભ અનુબંધ દુબુદ્ધિ, કુમતિ, મલિન અધ્યવસા, કાષાયિક ભાવે, અશુભ ભાવનાઓ, દુષ્યન, ને પાપલેશ્યાઓ કરાવ્યા કરે છે. ધર્મકથાથી પ્રબળ શુભ ભાવ જાગવા દ્વારા આવા અશુભ અનુબંધે નાશ પામે છે. એને લાભ કેટલે બધે? એ પાપાનુબંધે જે ઊભા રહ્યા હોત તે એ દુર્બદ્ધિઓ કરાવીને અઢળક દુષ્કૃત્ય પિષી પાપ વધારીને ભવના ફેરા વધારત! તે ધર્મકથા દ્વારા અશુભ અનુબંધ તુટી ગયા તેથી સહેજે ભવેની પરંપરા તુટે. આ બતાવે છે કે જીવન અશુભ ભાવમાં જીવવાનું બંધ કરીને શુભ ભાવમાં જીવવાનું રાખે અને એ શુભ ભાવે જગાડનાર છે મહાપુરુષના જીવન–પ્રસંગે; તે એ તમે વારેવારે સાંભળે, યાદ કરે, એનાથી દિલને ભાવિત કરે. એટલે અનેક શુભ ભાવે હૈયામાં રમતા થશે. પ્રભાવક પૂર્વ પુરુષના યશગાન ગાયાનું આ કેટલું બધું મહાન ફળ છે કે એ અશુભ ભાવેની અટકાયત કરે. અને શુભ ભાવલાસ જગાડયા કરે! અશુભ ભાવ અટકાવે એટલે અશુભ કર્મ પાપકર્મ બંધાતા અટકે. શુભ ભાવે. જાગે એટલે પુણ્ય બંધાયા કરે. આર્કમાર કેણ? :-શ્રેણિક રાજાની અનાર્યદેશના રાજાને ભેટ આપણે આદ્રકુમારની યશગાથા ગાવી છે. આ કુમાર અનાર્ય દેશના રાજના પાટવી કુંવર છે. ભગવાન મહાવીર સ્વામી અને શ્રેણિક રાજાના સમયમાં આ આદ્રકુમાર થયેલ છે. આમ બંને એક સમયમાં થયેલ હોવાથી એવું બને છે કે એકવાર આદ્રકુમારના પિતા રાજા દૂર બેઠા મગધસમ્રાટ
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy