SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કહેત? આવી ધર્મ-પ્રવૃત્તિને અમાપ નુકસાન કરનારી જ કહેત ને? જ્ઞાનીઓ તે જુએ છે કે “જીવ આમ આપમેળે તે ધર્મ કરતા નથી, પરંતુ શું નેહીના સ્નેહને વશ થઈ ધર્મ કરે છે? તે કરવા દે. જે એવાને ધર્મમાંથી કાઢી મૂકશે, તે સંસારની ભરચક પાપ-પ્રવૃત્તિમાં ખૂંચેલ રહેશે, ને તેથી પાપબુદ્ધિમાં જ રમત રહેશે !" સ્નેહથી ધર્મ-પ્રવૃત્તિ કેવી રીતે? સ્નાત્ર ભણાવે, એમાં બેલે છે ને કે “આતમભક્ત મળ્યા કેઈ દેવા, કેતા મિત્તાનુજાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલ વટ...” અર્થાત્ કેટલાક દેવતા પ્રભુના મેરુ પર જન્માભિષેકના અવસરે આત્મ–ભક્તિથી આવી મળે છે, તે કેટલાક મિત્રના અનુયાયી બનીને આવે છે, તે કેટલાક દેવીની પ્રેરણાથી આવે છે. આમાં મિત્રાનુયાયી મિત્રના સ્નેહથી પ્રભુભક્તિને ધર્મ કરવા જાય છે. એના એ ધર્મ ઉપર ચેકડી મારવી? - જે ચોકડી મારે તે શું થાય? આજના કાળના દાખલા છે કે ભાઈ જરાય ધર્મ ન કરતા હોય, પરંતુ પત્ની ઉપરના સ્નેહથી પત્ની સારી શ્રાવિકા હોઈ એને ધર્મ જોઈ જોઈને પતિ ધર્મ કરતો થયે. શું આ ધર્મ-પ્રવૃત્તિ પિતાની રુચિથી કરી? ના, પત્ની ઉપરના સ્નેહથી એનું જોઈ જોઈને ધર્મપ્રવૃત્તિ કરી, યા પત્ની ઉપર સ્નેહ છે તેથી એની પ્રેરણા મળતાં ધર્મ-પ્રવૃત્તિ શરુ કરી. પછી તે એના સ્નેહથી ધર્મ કરતાં કરતાં પિતાને ગુરુઓને ઉપદેશ સાંભળવા મળે એમાં
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy