SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬ ] અનુભવ-વાણી તે શરતે તેને અવશ્ય સ્વીકાર કરવા. પરંતુ તેમાં એક શરત એ હાવી જોઇએ કે તેની વાર્ષિક આવક કે ઉત્પન્નમાંથી ૧૦ ટકા જનરલ કુંડમાં લઈ જવામાં આવશે અને બાકીની રકમ તે હેતુ માટે ખર્ચવામાં આવશે. * (૧૫) જનતાની મદદ કે ટ્રસ્ટોની સાંપણી ત્યારે જ ફળીભૂત થાય કે સૌને ખાત્રી થાય કે પૈસા બરાબર સચવાશે, તેની વ્યવસ્થા સારી થશે, તેના હેતુ મુજબ તેને ઉપયેગ થશે, અને કાર્યકરા લાયક હશે. આને માટે સ્થાયી સ્ટાફની અને લાંબા વખત સુધી કામ કરે તેવા કાકાની કમિટીએ જોઇએ. દરેક કમિટીએ પાંચ કે દશ વર્ષ સુધી એક સરખું કામ કરવું જોઇએ. પ્રમુખ અને મુખ્ય મંત્રીએ ભલે ત્રણ વર્ષે, પાંચ વર્ષે બદલાય પર ંતુ સ્થાયી મંત્રીએ અને કાર્યકરો, અને તે કાયમી, અને નહિ તે પાંચ કે દશ વર્ષોં સુધી કાયમ રહેવા જોઇએ કે જેથી કા અવિરત ચાલુ રહી શકે. (૧૬) ગમે તે સાર્વજનિક હેતુ માટે ટ્રસ્ટ કે અમુક રકમ સોંપવામાં આવે તે પણ તેને સ્વીકાર કરવા. (૧૭) સાર્વજનિક ફંડ કોઈ પણ ધંધામાં, વ્યાપારમાં, ઉદ્યોગમાં કે ખીજા એવા લાકહિતના કાર્યમાં રોકી શકાય, ખરચી શકાય કે ધીરી શકાય—એવા પ્રબંધ હાવા જોઇએ કે જેથી ધણા ભાઈ-બહેનને કામધંધા કે ઉદ્યોગ શીખવી શકીએ, તેમને નાકરી-ધંધે લગાડી શકીએ; અને તેમાંથી વ્યાજ કે. નફાની જે કાંઈ આવક થાય તેમાંથી ખીજાઓને ઉત્તેજન કે મદદ પણ આપી શકીએ. (૧૮) જેએ કોન્ફ્રન્સ કે તેની કોઈ શાખા અથવા તેના હસ્તકની કોઈ સંસ્થાની મદદથી કે લોનથી ભણ્યા હોય કે કામધંધે લાગ્યા હોય તેઓ કમાવા માંડે તે વરસથી દર વર્ષે તેની વાર્ષિક કમાણીમાંથી આછાસાં એછે. એક રૂપીએ અર્ધો આને અને વધુ તેની પેાતાની ઈચ્છા મુજબ કોન્ફરન્સના જનરલ ક્રૂડમાં ફરજિયાત તેણે આપવાનુ રહેશે.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy