SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનની પગદંડી [ ૨૩૭ ] આ સ્થિતિએ પહોંચતાં કે તેને પ્રાપ્ત કરતાં પહેલાં દુ ખ અને મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. પોતાની આકરી કસોટી પણ થાય છે. પરંતુ છેવટે તેને વિજય અવશ્ય થાય છે. આટલું નૈતિક બળ જે પ્રાપ્ત કરે છે તેને શાંતિ પણ ઘણી મળે છે. ફક્ત તેણે જોવાનું એ રહે છે કે આ પ્રકારની સફળતા મળ્યા પછી તેને ગર્વ કે અભિમાન થવા ન જોઈએ. તે અભિમાન કરે એટલે તેના દુશ્મન, વિરેધીઓ કે હરિફે ઘણું ઉભા થશે અને તેઓ ઈર્ષ્યાથી તેને નીચે પાડવાના અનેક પ્રયાસ કરશે. માટે જ શક્તિમાન બન્યા પછી નમ્ર અને વિવેકી થવાની જરૂર છે. “જે નમે છે તે પ્રભુને પણ ગમે છે.” સાચું સુખ શાંતિ અને સંતોષમાં છે. આ સત્ય અનુભવ કરવાથી પ્રત્યક્ષ સમજાશે. સુખનો આધાર મનની શાંતિ અને સાચી સમજ ઉપર છે. સુખ મેળવવું હોય કે સુખી થવું હોય તો દરેક માણસ સુખી થઈ શકે છે. સુખી થવું તે દરેકને પોતાના હાથમાં છે. છતાં માણસ સૌ દુઃખની જ ફરિયાદ કરે છે, તે તેમની અજ્ઞાનતા અને ઓછી સમજને લીધે છે. જગતમાં દુઃખ જેવી વસ્તુ જ નથી. દુઃખ એ તે મિથ્યા-ભ્રમ કે ખોટી કલ્પના છે એમ માનવામાં મનુષ્યને ગુમાવવાનું શું છે ? (૧૩) જીવનની પગદંડી ચી ર કામ માટે જે વસ્તુને ઉપયોગ કરવામાં આવે છે તેમાં વસ્તુની અને ઉપયોગ કરનારની બંનેની શોભા છે. ઉપગ ઉપરથી જ બધાના મૂલ્ય જગતમાં અંકાય છે. ધનને ઉપગ સૌના સુખ માટે, શરીરને ઉપયોગ સેવા માટે, મન અને બુદ્ધિને ઉપગ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાન પ્રચાર માટે, શક્તિને ઉપયોગ
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy