SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું જીવનની વિવિધ અવસ્થાનું સર્જક તત્વ વિશ્વની વ્યવસ્થામાં જીવ અને પુદ્ગલ બન્નેને હિરો છે. દુનિયામાં પુગલનું અસ્તિત્વ નહીં હેતાં એક માત્ર આત્મા–જીવ યા ચેતનનું જ, અગર જીવ નહિ હેતાં એક માત્ર પુદ્ગલનું જ અસ્તિત્વ હોત, તો આ દ્રશ્ય જગત જ હત નહિ. દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ પુદ્ગલ હાઈ તેમાંથી જીવના પ્રયત્ન વડે જ વિવિધ અવસ્થાવંત દ્રશ્ય જગતનું અસ્તિત્વ વર્તે છે. દ્રશ્ય જગતમાં પુદ્ગલની ઉપચેગિતા પણ વિવિધ રીતે જોવામાં આવે છે. જીવને આરામ અને શાંતિ આપે એવી અવસ્થાવંત પુદ્ગલે પણ હોય છે. અને અશાંતિકારક અવસ્થાવંત પણ પુગલો હોય છે. અવસ્થાઓની ભિન્નતાના હિસાબે દરેક અવસ્થાવત પુગલને વિવિધ સંજ્ઞાથી જગત ઓળખે છે. પૌષ્ટિક એવા ખાદ્યપદાર્થો અને પીણું તે પુગલ જ છે. વિષ અને શરાબ તે પણ પુદ્ગલ જ છે. મેટરટેન–એરપ્લેન એ પણ પુગલ જ છે. વસ્ત્ર–પાત્ર એ પણ પુગલ જ છે. એટમબેઓ-હાઈડ્રોજનબોમ્બ તથા અન્ય પ્રાણઘાતક શો એ પણ પગલા જ છે. અરેપ્રાણીઓનું શરીર, શબ્દ, વિચાર અને ઉશ્વાસ એ પણ પુગલ જ છે. અવસ્થાની દ્રષ્ટિએ પુગલમાં વિવિધતા છે, તેમ પ્રાણીઓને ગુણ અને દોષકારક દ્રષ્ટિએ પણ તેમાં
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy