SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ અને પાણી આ ચાર પદાર્થોને જ મૌલિક તત્વની સંજ્ઞા: અપાઈ હતી. પરંતુ ત્યારબાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાયણિક પદાર્થના મૂળભૂત આણુ જ પરમાણુ છે.. ત્યારબાદ પ્રોટેન, ન્યુટેન અને એલેકટ્રેન એ ત્રણ મૂળભૂત અણુ મનાયાં. હાલમાં તે મૂળભૂત અણુઓની સંખ્યા વધી ગઈ છે, અને ફરીને પણ વધી શકે તેમ છે. મૂળભૂત અણુઓની એ વૃદ્ધિ, પદાર્થમૂલ સંબંધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તો એ છે કે મૌલિક અણુ શું છે? એ જ હજુ. સુધી સમજમાં આવી શક્યું નથી.” આ ઉપરથી સાબિત થાય છે કે બ્રહ્માંડના સૂક્ષ્મતમ ઉપાદાનની સમજ પ્રાપ્ત કરવી એ વર્તમાન વૈજ્ઞાનિક શક્તિથી અસંભવીત છે. કારણ કે આ વિજ્ઞાન તે દશ્યજગત સુધી જ સીમિત છે. જ્યારે જૈનદર્શનના તત્વજ્ઞાનને વિષય તે ઇંદ્રિય પ્રત્યક્ષ પૂરતું જ સીમિત નહિં રહેતાં ઇંદ્રિયાતીત વિષયને પણ અવેલેકીને અંતિમ તત્વના આધાર પર જજ્ઞાનધારાને સ્પષ્ટ કરે છે. આ જ્ઞાનધારાને સમજવા માટે એકલી તર્ક બુદ્ધિ જ કામ લાગતી નથી. એના માટે તે આંતરદૃષ્ટિ મેળવવી જોઈએ. એ આંતરદષ્ટિ તે આંતરદષ્ટિને પ્રાપ્ત તત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્વજ્ઞાન દ્વારા જ મેળવી શકાય છે. ભિન્ન ભિન્ન સ્વરૂપે થતું પુદ્ગલ પરિણમન યા પદુગલિક આવિષ્કાર થવામાં પરમાણુની વૃદ્ધિ અને ન્યૂનઃ થવાની રીત, પુદ્ગલની અનંતશક્તિઓનું વર્ણન, પુદ્ગલની. ૨૬ સૂક્ષ્મ મહાવર્ગણાઓ, ગ્રાહ્ય અને અગ્રાહ્ય વર્ગણુઓ...
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy