SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ જે કે દ્રશ્ય જગતનું મૌલિક તત્વ પરમાણુ જ છે. છતાં જીવના પ્રગને પ્રારંભ તે આઠ ગ્રહણ ગ્ય મહાવર્ગણાઓ ઉપર જ થતો હોઈ શ્રી સર્વજ્ઞ પુરૂષોએ દ્રશ્ય જગતના મૌલિક તત્વ તરીકે તે વગણુઓને જ બતાવી છે. વર્તમાન વિજ્ઞાન જેને મૌલિક તત્વ કહે છે, તે અગર વિશ્વમાં દ્રશ્ય વિવિધ સંજ્ઞાયુક્ત વિવિધ પદાર્થો કહેવાય છે, તે સર્વે કઈ છવદ્વારા પ્રથમ પ્રગિત હોતા નથી. પરંતુ તે એક વખત ગિત થયેલ પુગલ પદાર્થોની જ પુનઃ પુનઃ જીવ પ્રગ દ્વારા ઉત્પન્ન થતી વિવિધ અવસ્થાઓ છે, અને તે બધા પદાર્થો મિશ્રપરિણામી કહેવાય છે. ગ્રહણગ્ય મહાવર્ગમાં પ્રત્યેકની પેટા વર્ગણુઓ કેટલી હોય? દરેક પેટા વર્ગણામાં પરમાણુ સમૂહની ન્યૂનાપિતાના હિસાબે કેટલી જાતના સ્કંધ હોય? દરેક જાતના કધે કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુ સમુહના સંઘટ્ટનવાળા હોય? તે મહાવર્ગણાઓને જે સંજ્ઞાઓ આપેલી છે, તે તે સંજ્ઞાનુસાર સ્વભાવને અનુરૂપ હેવાથી કઈ કઈ મહાવર્ગણાના પુદ્ગલ છે, સંસારી અને કયા ક્યા કામમાં ઉપયોગી હોય? અર્થાત્ કેટલી સંખ્યા પ્રમાણુ સંઘાત ભાવે એકત્રિત બની રહેલ પરમાણુ સમૂહના સ્કંધે તે શરીર, શ્વાસે છવાસ, ભાષા અને મનસ્વરૂપે પરિણમન પામી શકે છે, તેને સ્પષ્ટ ખ્યાલતે જૈનાગમમાં બતાવેલ ઉપરોકત પુદ્ગલ વર્ગણુઓનું બરાબર અધ્યયન કરવાથી જ આવી શકે.
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy