SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પરમાણુની યેગિક અવસ્થારૂપ સ્કંધપુગલો ઉપર જ જીવપ્રયોગ થાય છે. વળી જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી હોવા છતાં અમુક અવસ્થારૂપે તૈયાર થયેલી માટીમાંથી જ ઘડો બની શકે, તેવી રીતે પરમાણુની ચેગિક અવસ્થારૂપ સ્કંધ પુદ્ગલમાંથી શરીર રચના થઈ શક્તી હોવા છતાં પણ અમુક અવસ્થાવંત અને ઈદ્રિયને અગોચર એવા પુદ્ગલસ્કમાંથી જ શરીર રચના થઈ શકે છે. આ સમસ્ત વિશ્વ છૂટા છૂટા પરમાણુઓ વડે અને પરમાણુઓની લેગિક અવસ્થારૂપ સ્કંધપુદ્ગલવડે ઠાંસી, ઠાંસીને ભરેલું છે. તે સર્વ પુદ્ગલે, છદ્મસ્થ જીવને ઇંદ્રિયગમ્ય નથી. છતાં પણ તેનું અસ્તિત્વ બુદ્ધિગમ્ય છે. માતાના ઉદરમાં ઉત્પન્ન થયા બાદ બાળકનું શરીર વિવિધ આકારરૂપ બની વૃદ્ધિ પામતું રહે છે. જન્મ પામ્યા પછી પણ વજન અને ઉંચાઈ વધતી જાય છે. આ રીતે થતી વૃદ્ધિમાં નવાં પુલનું આગમન પ્રત્યક્ષ દેખાતું નથી.. પરંતુ આવેલાં તે પુગલોને શરીરવૃદ્ધિ સ્વરૂપે તે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. એટલે સહેજે સમજી શકાય છે કે વૃદ્ધિ પામતા શરીરમાં નવાં નવાં આવતાં રહેતાં પુદુગલનું આ વિશ્વમાં અદ્રશ્યપણે પણ કોઈક અવસ્થારૂપે અસ્તિત્વ તે અવશ્ય છે જ, અને એ પુદ્ગલે જ શરીરનું ઉપાદાન કારણ છે. - જેના રૂપ-રસ–ગંધ અને સ્પર્શમાંથી એક પણ વિષયને અનુભવ ઈદ્રિયને અશક્ય છે, એવા સૂમ પુદ્ગલનું
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy