SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આજના વૈજ્ઞાનિક યુગમાં બુદ્ધિગમ્ય રીતે પણ જેમાં જીવ હાવાનુ અનેકવિધ પ્રયેાગદ્વારા સિદ્ધ થઈ ચૂક્યુ છે, તેવા પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ અને વનસ્પતિમાં જીવ હાવાના જેને ખ્યાલ કે શ્રદ્ધાય નથી, તેવાઓને તે આ વસ્તુ સમજવી કઠીન છે. ઉપરાક્ત હકિક્તથી સિદ્ધ થાય છે કે દ્રશ્યજગત તે કોઈ ને કોઈ જીવનું ત્યક્તશરીર, યા તો ત્યક્તશરીરાનુ વિવિધમિશ્રણ, યા તે મિશ્રણ રહિત અવસ્થાન્તર શરીર, યા તેા શરીરની પ્રતિછાયા અગર પ્રકાશ સ્વરૂપ છે. એટલે વિચાર ઉદ્ભવે કે એ શરીરા કઈ જાતની પુદ્ગલાવસ્થામાંથી અન્યાં ? એ તત્ત્વ સમજાય તેાજ આ વિશ્વનું ઉપાદાન કારણ સમજી શકાય. ઉપાદાન એટલે શું? એ એક દ્રષ્ટાંતથી વિચારીએ. ઘડા માટીના બને છે. તૈયાર ઘડા હોય અગર ત્રુટી જઈ ઠીકરારૂપે પડયો હોય તે પણ તેમાં માટીને તે નાશ થતા જ નથી. માટે માટી એ ઘડાનુ ઉપાદાન કારણ કહેવાય. એવી રીતે આકાર યા અવસ્થા બદલાવા છતાં પણ જે પદા, તે સર્વ આકાર યા અવસ્થામાં માજીદ રહે છે, તે વસ્તુનું ઉપાદાન કારણ છે. દ્રશ્ય જગતના સર્વ પદાર્થો તે પરમાણુ સમૂહની વિવિધ રચના છે. પરમાણુના વિવિધ ચાગિક પરિણામથી જ સમસ્ત પદાર્થ-સમૂહની ઉત્પત્તિ છે. વિવિધ પદાર્થાંનુ વિવિધ અવસ્થાન્તર થાય તા પણ તેમાં પુદ્ગલત્ત્વ તા શાશ્વત જ છે. એટલે પ્રથમ વિચારી ગયા એ પ્રમાણે મતિજ્ઞાનાંદિના થયા
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy