SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. થવાનું બની શકે નહિં. કર્મરહિત બનેલ ઇશ્વર–પરમાત્મr. તે દેહરહિત હોય. તેઓને તે જન્મ કે અવતાર લેવાને જ , ન હોય. ઉપર કહ્યા મુજબ તીર્થંકરદેવે આત્માના જ્ઞાનાદિ ગુણને રેનાર કર્મોથી તે બિલકુલ રહિત જ હેય. કેવલ ભોપગ્રાહી એવાં ચાર અઘાતી કર્મો જ તેમના આત્મામાં બાકી હોય. તે કર્મોની સ્થિતિ તેમના તે ભવ પૂરતી જ હોય અને તે ભવ પૂર્ણ થતાં સુધીમાં તે તે ભગ્રાહી કર્મો પણ તેમના આત્મામાંથી સર્વથા છૂટી જવાથી તેઓ દેહરહિત ઈશ્વર–પરમાત્મા બની મેક્ષસ્થાનમાં જાય. ત્યાં સાદિ અનંત સ્થિતિમાં સદા લીન રહે. દેહધારી ઈશ્વર પરમાત્માને વીતરાગ અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ જન્મથી જ ન હોય. તે ભવના જન્મ બાદ તે યોગ્ય ઉંમરે તેઓ દીક્ષા અંગીકાર કરે. દીક્ષા અંગીકાર કરીને વીતરાગતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ તપ કરે. તપશ્ચર્યા દ્વારા ચાર ઘનઘાતી કર્મોને સંબંધ તેમના આત્મામાંથી છૂટી જાય એટલે તે ઘનઘાતી કર્મોવડે અનાદિકાળથી આચ્છાદિત બની રહેલા તેમના આત્માના અનંત જ્ઞાનાદિ ચતુષ્ક ગુણની પ્રગટતા થાય. અને તેની પ્રગટતાથી જગતના સમસ્ત દ્રવ્ય–ગુણ અને પર્યાયને કોઈપણ બાહ્ય પ્રયોગના પણ અંજલિમાં રહેલ જળની માફક આત્મપ્રત્યક્ષ જુએ. અને ત્યારબાદ જ વિશ્વના પ્રાણીઓને તે વિષયને ઉપદેશ આપે. આત્મપ્રત્યક્ષ થયા પહેલાં તીર્થકરદે પદાર્થવિજ્ઞાન અંગેને કંઈપણ ઉપદેશ કોઈને ય ન આપે. તીર્થકરોની.
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy