SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૩૬ વનાર દર્શનો શરીર રચનાને સાચે ખ્યાલ પિદા કરી શકયા નથી. એટલે કેઈએ શરીર રચનાની જવાબદારી ઈશ્વર ઉપર નાંખી, તે કેઈએ પંચભૂતનું પુતળું પંચભૂતેમાંથી જ પેદા થાય છે, એમ કહી સંતોષવૃત્તિ સ્વીકારી. શરીર રચનામાં ઉપયોગી દારિકદિ પુદગલ વગણની સૂક્ષમતા જે અણુસમૂહમાંથી શરીર તૈયાર થાય છે, તે અણુસમૂહ એટલો સૂમ છે કે આપણે જોઈ શકીએ તેમ નથી. એટમ બેંબ કે હાઈડ્રોજન બોંબનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ, પરંતુ તે આશુઓને પ્રત્યક્ષ આપણે જોઈ શકતા નથી. તેમ છતાં તે અણુસમૂહનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ. તે જે આશુમાંથી બેંબ તૈયાર થાય છે, એ અણુ કરતાં, શરીર તૈયાર થવામાં ઉપયોગી આણુઓ અતિ સૂક્રમ છે, તેને પૃથફ પૃથફ રૂપે આપણુ ચર્મચક્ષુથી કેવી રીતે જોઈ શકાય? તેમ છતાં આજના પરમાણુની ગણત્રીના યુગમાં તે આવા સૂમિ આણુઓની હકિકત પણ બુદ્ધિમાં ઉતરી શકે તેવી છે, માટે તેના અસ્તિત્વ અંગે કેઈથી ના પાડી શકાય તેમ નથી. પુદ્ગલના અવિભાજ્ય ભાગને પરમાણુ કહેવામાં આવે છે. તેવા અવિભાજ્ય ભાગ રૂપ આણુને આજના વૈજ્ઞાનિકેએ માન્ય છે, પરંતુ તેવા આશુને પ્રાપ્ત કરી શક્યા નથી. હાલ એટમ તરીકે કહેવાતા ભાગને પ્રથમ અવિભાજ્ય ભાગ માનવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ હાલનું વિજ્ઞાન આગળ વધતું ગયું તેમ તેમ હાલના એટમને અવિભાજ્ય
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy