SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ રૂપે તૈયાર થઈ જાય છે. તેવી રીતે શરીરની મજબૂતી જેવી થવાની હોય, તેમાં ઉપયોગી થાય તેવી જ રીતે પહેલા સમયથી ગ્રહણ કરેલી વર્ગણામાં પરિણામ થવા લાગે છે. અને ભવિષ્યમાં અમુક મજબૂતી તૈયાર થાય છે. આ રીતે હાડની ભિન્ન ભિન્ન પ્રકારની મજબુતીનું પ્રેરક જે કર્મ તે “સંહનન નામ કર્મ' તરીકે ઓળખાય છે. જેવા પ્રકારનું “સંહનન નામ કર્મ ” હોય તેવા પ્રકારને અનુસરતી મજબૂતીનું પરિણમન પ્રાણીઓને શરીરમાં થાય છે. હવે દેહધારી પ્રાણુઓનાં શરીર અને તેનાં અવય જેમાં કેટલાંક પ્રાણીઓનાં શરીર અને અવયની રચના સુંદર અને આકર્ષક હોય છે. જ્યારે કેટલાંકની શરીર રચનામાં ખાસ આકર્ષતા હોતી નથી. સામુદ્રિક શાસ્ત્રીમાં શરીરનું માપ–આકૃતિઓ-રેખાઓ વગેરેનું વર્ણન આવે છે. તેમાં દર્શાવ્યા મુજબ સપ્રમાણ શરીર અને અવયની આકૃતિ અન્યને આકર્ષક બને છે. જ્યારે વિષમ પ્રમાણુવાળી આકૃતિ આકર્ષક બનતી નથી. પ્રાણીઓના શરીર અને તેના અવયની સપ્રમાણ કે વિષમ પ્રમાણ આકૃતિનું નિયામક તે સંસ્થાન નામ કમ છે. આ સંસ્થાન નામકર્માનુસાર જ શરીરની સારી કે ખરાબ આકૃતિ ઉત્પન્ન થાય છે. આ કર્મ ન હોય તે શરીર વગેરેની આકૃતિનું કાંઈ ઠેકાણું જ ન રહે. આકૃતિરૂપે પુદ્ગલેનું પરિણમન થવામાં એટલે કે શરીર, તેને અવયવો અને એકંદર તેની રચનાની પ્રમાણસરતામાં “સંસ્થાન નામ કમ” જ પ્રેરક છે. જગતભરના પ્રાણી
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy