SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ જગ્યાએ રહે છે, સૂમરસ ધાતુમાં જાય છે, અને મળ તે રસધાતુઓના મળમાં જઈ મળે છે. આહારમાંથી થતી આ રીતની રાસાયણિક ક્રિયા ઉપરથી સમજુ માણસ સહેજે સમજી શકશે કે એક જ સમયે ગ્રહિત કાર્મણવગણના, કર્મરૂપે થતા પરિણમનમાં પણ અમુક અમુક સંખ્યા પ્રમાણુ પ્રદેશસમૂહવાળા જુદા જુદા પ્રકારના ભાગલા પડી જઈ તે પ્રત્યેક ભાગલાવાળા કર્મપ્રદેશ (કર્મ રજકણુ) સમૂહમાં સ્વભાવઅને રસ (પાવર)નું નિર્માણ વિવિધ રીતે પરિણમે એમાં કંઈ આશ્ચર્ય નથી. ગરૂપ વીર્યવડે છવદ્વારા આકૃષ્ટ કાર્મણવર્ગણાના દલિકસમૂહમાં પૂર્વબદ્ધ મોહનીય કર્મના વિવિધ પ્રકારના વિપકેદય સ્વરૂપ નિમિત્તથી વિવિધ સ્વભાવનું સર્જન થાય છે. એ હકિત ઉપર વિચારી ગયા. તેમાંથી આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ગુણને ઘાત કરવાના સ્વભાવ ધારક કર્મદલિને ઘાતી કર્મ કહેવાય છે. આત્માના સ્વરૂપમાં બાધા નાંખી આત્મસ્વરૂપને પરિપૂર્ણતા–શુદ્ધસ્વરૂપે પ્રગટ બની નહિં રહેવા દેવાવાળાં આ ચાર ઘાતકર્મ જ છે. - આત્મામાં વિદ્યમાન ઘાતકર્મની સત્તા, આત્માને ભાવિ -દશામાં મૂકી દે છે. જેથી આત્માની જ્ઞાન અને શક્તિ પરિમિત બની જાય છે. એ એને દુઃખદાયક થાય છે અને નીચે મુજબ બાહ્યસામગ્રીની અનુકુળતા અને પ્રતિકૂળતાને આધિન બનાવે છે. અસ્થિર શરીરે જીવ ઉપર વીંટાય છે, જીવન અને
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy