SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન એ જીવમાત્રને સ્વભાવ હોવાથી સર્વ છે આવા પૂર્ણ જ્ઞાનવાળા અર્થાત્ કેવળજ્ઞાની છે. મિલક્ત સરખી છતાં “ઘરાકમાં દબાઈ ગયેલાને હાથ છૂટ હોતે નથી. તેમ દરેક જીવ કેવળજ્ઞાનમય છતાં જ્ઞાનશક્તિનું આચ્છાદન કરનાર કેઈ ચીજ આત્મામાં પડેલી છે. જેથી જ્ઞાનદીપકના પ્રકાશમાં ન્યૂનાયિક્તા વતે છે. આચ્છાદન કરનારી તે ચીજને જૈનદર્શનમાં જ્ઞાનાવરણીય કર્મ તરીકે ઓળખાવી છે. આ રીતે જૈનદર્શન સિવાય બીજાઓએ જ્ઞાન સ્વભાવને રેવાવાળા કર્મને માન્યુ જ નથી. તેથી રોકવાનાં કારણે તથા તે કર્મને તેડવાના પ્રકારે પણ જનેતરદર્શનમાં બતાવ્યા નથી. આત્મગુણ અને તેને રેકનારાં કર્મની હકિક્તને ખ્યાલ પેદા થયા વિના આત્મગુણને પ્રગટ પણ શી રીતે કરી શકાય? - જ્ઞાનશક્તિ ઉપર જ્ઞાનાવરણીય કર્મનું જેવું જેવું આચ્છાદન તેવી તેવી જીવને પદાર્થ વિષય જાણવાની મુશ્કેલી. અને જેટલી જેટલી મુશ્કેલી, તેટલી તેટલી મુંઝવણુ, અને જેટલી જેટલી મુંઝવણ તેટલું તેટલું દુઃખ. તનતોડ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત સમૃદ્ધિ કેટલે ટાઈમ ટકશે ? કેટલા ટાઈમ સુધી તેમાં જરાપણ મુશ્કેલી નહિં આવે, તેના નિશ્ચિત જ્ઞાન વિના તે સમૃદ્ધિવંતને શાંતિ ખરી કે? વિશ્વના ય પદાર્થોની ત્રિકાલિક અવસ્થાએ અનંતી છે. તે અનંતી અવસ્થાએ પૈકી પ્રત્યેય અવસ્થા કઈ જાતના નિમિત્તથી પ્રકટ થઈ શકે? કઈ અવરથા સંસારી જીવને કેવા પ્રકારની અનુકૂળતા યા પ્રતિકૂળતા સર્જક બની શકે ?
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy