SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ બ્રહ્મચર્યનું સેવન કર.' થી ઉપશાન્ત થયે છતે ઉક્ત મહાવ્રત સર્વથી કે દેશથી ઉદય આવે છે. ઉક્ત મહાવ્રતના દઢ અભ્યાસપૂર્વક ભાવનાથી તેની સિદ્ધિ થતાં તે મહાશયને સહજ સંતેષજન્ય અનંત સુખ વ્યાપી જાય છે અને એવા સ્વાભાવિક સુખમાં નિમગ્ન થયેલા ચેગી પુરુષને કદાચ અપ્સરા ચલાયમાન કરવા યત્ન કરે તે તે તદ્દન નિષ્ફળ જાય છે. એવા સ્વાભાવિક આત્મ સુખનીજ કામનાથી જે મહાશય ઉક્ત મહાવ્રતને સેવે છે તે સકળ સુરાસુરને માન્ય થઇને અક્ષયસુખના અધિકારી થાય છે. ઉક્ત મહાવ્રતની રક્ષા માટે પ્રથમ નવ બ્રા–વાડે પાળવાની જરૂર રહે છે. માટે તે વાડેનું સ્વરુપ સમજી દરેક મુમુક્ષુએ તેને ખપ કરે યુક્ત છે. ૧ વસતિ–સ્ત્રી, પશુ, પંડક વિગેરે રહે ત્યાં બ્રહ્મચારીને રહેવું કપે નહિ. ૨ સ્થા–કામકથા કરવી ઘટે નહિ. ૩ નિષદ્યા–સ્ત્રી વિગેરેનું આસન શયન વિગેરે વાપ રવું નહિ. ૪ ઈદ્રિય-સ્ત્રી આદિકનાં અંગોપાંગ રાગબુદ્ધિથી નીર ખવાં નહિ. ૫ કુડયંતર-ભીંત અથવા પડદા પાસે સ્ત્રી આદિકને વાસ તજ. ૬ પૂર્વકીડા-પૂર્વ અવતપણે કરેલી કામક્રિડા સંભારવી નહિ. ૭ પ્રણેત ભજન-રસકસવાળા ઘેબર પ્રમુખનું સ્નિગ્ધ ભેજન કરવું નહિ. ૮ અતિમાત્રાહાર–પ્રમાણથી વધારે લખું ભજન પણ કરવું નહિ.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy