SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યસાર અને ઉપદેશ આહસ્ય. ૧૫૭ ચંતા નાયક) શ્રેષ્ઠ છે. (૨૩૧) સુવિહિત સાધુજને મોક્ષમાર્ગના ખરા સારથી છે એવી શુદ્ધ શ્રદ્ધાથી ક્ષાર્થી ભવ્ય જનેએ, તેમનું દઢ આલંબન કરવું અને તેમની લગારે પણ અવજ્ઞા કરવી નહિ. (૨૩૨ ) ગ્રહણ કરેલાં વ્રત યા મહાવ્રતને અખંડ પામળનાર સમાન કેઈ ભાગ્યશાળી નથી, તેનું જ જીવિત સફળ છે. (૨૩૩) ગ્રહણ કરેલાં વ્રત કે મહાવતને ખડીને જે જીવે છે તેની સમાન કોઈ મંદભાગ્ય નથી. કેમકે તેવા જીવિત કરતાં તે ગ્રહણ કરેલા વત કે મહાવ્રતને અખંડ રાખીને મરવું જ સારું છે. (૨૩૪) જેને હિતકારી વચને કહેવામાં આવતાં છતાં બિલકુલ કાને ધારતું નથી અને નહિં સાંભળ્યા જેવું કરે છે તેને છતે કાને બહેરેજ લેખ યુક્ત છે, કેમકે તે શ્રેત્રને સફળ કરી શકતું નથી. (૨૩૫) જે જાણી જોઈને ખરે રસ્તે તજીને બેટે માર્ગે ચાલે છે, તે છતી આંખે આંધળે છે એમ સમજવું. (૨૩૬) જે અવસર ઉચિત પ્રિય વચન બેલી સામાનું સમાધાન કરતું નથી તે છતે મુખે મૂંગે છે, એમ શાણા માણસે સમજવું. (૨૩૭) મેક્ષાર્થી જનેએ પ્રથમપદે આદરવા યોગ્ય સદ્દગુરૂનું વચન જ છે. (૨૩૮) જન્મ મરણના દુઃખને અંત થાય એ ઉપાય વિચક્ષણ પુરૂષે શીધ્ર કર યુકત છે કેમકે તે વિના કદાપિ તવથી શાંતિ થતી નથી. (૨૩૯) તત્ત્વજ્ઞાન પૂર્વક સંયમાનુષ્ઠાન સેવવાથી જ ભવને.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy