SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો, ॥ રહસ્યાર્થ ॥ ૧. ક્ષીરનીરની પેરે સર્વદા એક એક મલીને રહેલા કર્મ અને જીવને જે વ્યકતપણે જુદા કરી નાંખે છે તે મુનિ-સ વિવેકવાન ગણાય છે. સદ્વિવેક જાગ્યા વિના અનાદિ અનત કાલથી સંયુક્ત થઈ રહેલા કર્મ અને જીવને કોઇ કદાપિ સ્પષ્ટ રીતે જુદા કરી શકેજ નહિં. તેમ કરવાને સદ્વિવેકની આવશ્ય. “ક્તા રહેજ છે. ૫૪ ૨. દેહુજ આત્મા છે અથવા આત્મા દેહથી જુદો નથી એવા અવિવેક તેા જન્મ જન્મમાં અવિદ્યાના વશથી સુલભજ છે. પણ આ દેહ આત્માથી ખાસ જુદોજ છે, કેમકે દેહ તા વિનાશી છે અને આત્મા અવિનાશી છે, દેહ તા જડ છે અને આત્મા સચેતન-ચૈતન્ય યુકત છે, એવા વિવેક કોટિંગમે ભવામાં ભાગ્ય ચેગેજ થઇ શકે છે. અવિદ્યાના નાશથયે છતે સદ્વિવેક જાગી શકે છે. ! ૩. શુદ્ધ-નિર્મલ આકાશમાં પણ ચક્ષુ વિકારથી જેમ રાતુ પીલું દેખાય છે, તેમ અવિવેકથી આત્મામાં વિવિધ વિકારો પ્રતિભાસે છે. આત્મા આકાશવત્ નિરંજન છતાં ઉપાધિ સમધથી મલીન વિકારી ભાસે છે, સર્વ ઉપાધિ-સબધ દૂર થયે છતે આ મા સહજ સ્વભાવમાં સ્થિત થઇ રહે છે, નિર્મલ નિષ્કષાયજ આત્માના સહજ સ્વભાવ છે. રાગ દ્વેષાદિક ઉપાધિ થવાથી સ્ફટિક રત્નની સ્વભાવિક કાંતિ જેવા નિમલ આત્મ ધર્મ પ્રગટ થઈ જાય છે. ઇ ૪. જોકે રાજાના ચાદ્ધા યુદ્ધ કરે છે, છતાં રાજાજ છો
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy