SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ મનાષ્ટકમ કે મણીની પીછાનજ થઈ નથી કે મણિની પ્રતીતિજ બેઠી નથી. અન્યથા મણિનું મૂલ્ય સમજીને તેને આદર જરૂર કરાયજ. ૫. તેમ જે શુદ્ધ આત્મ સ્વભાવમાં રમણ થઈ શકે નહિ તથા રાગદ્વેષ મહાદિક દુષ્ટ દોષને ત્યાગ થઈ શકે નહિ તે તે જ્ઞાન કે દર્શન કંઈ કામનાજ નથી. ખરાં જ્ઞાન અને દર્શનથી સ્વરૂપ મગ્નતા અને દેષ હાનિરૂપ ઉત્તમ ફલ થવું જ જોઈએ, સહજ આનંદમાં મગ્નતા થવી એ જેમ ઉત્તમ લાભ છે, તેમ દુષ્ટ દેનું દમન કરી તેમને સમૂલગે નાશ કરે એ પણ અતિ ઉત્તમ લાભ રૂપજ છે. ખરૂં મુનિપણું ભજનારા નિગ્રંથ સાધુઓ એ ઉત્તમ લાભ હાંસલ કરી શકે છે. ૬. જેવું શેફ (સોજા) નું પુણપણું, અથવા વય (વધ કરવા લઈ જવામાં આવનાર) ને શણગારવું નકામું છે, તેજ આ સંસારને ઉન્માદ અનર્થકારી છે, એમ સમજીને મુનિ સહજ સંતેષી થઈ રહે છે. સંસારનું અસારપણું સમગૂ વિચારી સંતેષ વૃત્તિથી જે સહજાનંદમાં મગ્ન થઈ રહે છે તે જ ખરે મુનિ-નિગ્રંથ છે. ૭. વચન નહિ ઉચરવારૂપ માન તે એકે ક્રિયાદિકમાં પણ હોઈ શકે છે તેવા માનથી આત્માને કંઈ વિશેષ લાભ નથી, ખરો લાભ તે એ છે કે પુદ્ગલિક પ્રવૃત્તિમાંથી વિરમી સહજ આત્મ સ્વભાવમાં જ મગ્ન થવા મન, વચન અને કાયાને સદા સર્વદા સદુપયોગ કર્યા કરે. ૮. જે સમજીને વિવેકથી સ્વકર્તવ્ય બજાવે છે, જેની ક્રિયા દીપકના જેવી જ્ઞાન-તમય છે, તેવા સમ સ્વભાવી
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy