SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સેવામાં જ હથી છ મહી તે પગ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જે. ઈદ્રિય વર્ગને દમવા પ્રબલ પ્રયત્ન કરે. વિવિધ વિષય સુખની વાસના મેક્ષાથી જીવને પણ બાધક થાય છે. માટે પ્રથમ વિવિધ વિષયમાં ભટકતા મન અને ઈદ્રિયને દમીને વશ કરવા યુક્ત છે. અન્યથા તેઓને વશ પડિ રહેવાથી ઉદ્ધત ઘેડાની પિઠે તેઓ જરૂર જીવને વિષમ એવા દુર્ગતિના માર્ગમાંજ. ખેંચી જાય છે. પણ જે તેમને જ આગમ યુક્તિથી વશ કરી લેવામાં આવશે તે આત્મા અંતે અખંડ સુખ સાધી શકશે. - ૨. તૃષ્ણ-જલથી પરિપૂર્ણ એવા ઈદ્રિય કયારાથી વૃદ્ધિ પામેલા વિકાર વિષયવૃક્ષ જીવને મહા મૂછ ઉપજાવે છે, જેમ જેમ જીવ વિવિધ વિષયને સેવે છે તેમ તેમ તેની તૃષ્ણ સતેજ થાય છે, અને અંતે અસંતુષ્ટ રહી આ ધ્યાન એગે - મહાવિકારને તે ભજે છે. એમ સમજી સંતોષને સેવનારા જે મન અને ઈદ્રિય ઉપર અચ્છો કાબુ મેળવી અંતે અવશ્ય અખંડ સુખ સાધી શકે છે, બાકી કામાન્ધ તે ક્ષણિક સુખ માટે અનંત અને અક્ષય સુખને ગુમાવી અનંત અપાર દુઃખને જ વહોરી લે છે. તેવી જીવ સર્વ દુઃખને સહજમાં જલાંજલી દઈ અપાર સુખમાં અવગાહી રહે છે, એમ સમજી સંતેષ ગુણને સેવ યુક્ત છે. - . જેમ હજારે ગમે નદીઓથી પણ સમુદ્ર પૂરાતે નથી તેમ ગમે તેટલા વિષયસંગથી પણ ઈદ્રિયવર્ગ ધરાતે નથી, જેમ ઈધનથી આગ ઉલટી વધે છે તેમ અનુકૂલ વિષય ભેગે ઉલટી તૃષ્ણ વૃદ્ધિગત થાય છે માટે સહજ સંતોષી થવું ચુક્ત છે. જેમ જેમ સંતોષ ગુણ વધે છે તેમ તેમ સહજ સુખની વૃદ્ધિ થાય છે.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy