SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મરત્નની પ્રાપ્તિ માટે પ્રાપ્તકરવાડ્યગુણઅથવાધર્મનીખરીચી ૧૪ ૧૯ કૃત જાણુ એટલે બીજાએ કરેલા ગુણને કદાપિ નહિ ૨૦. પરહિતકારી એટલે સ્વતઃ સ્વાર્થ વિના પોપકાર કરવામાં તત્પર. દાક્ષિણતાવંત તે જ્યારે તેને કોઈ પ્રેરણા અથવા પ્રાર્થના કરે ત્યારે પરેપકાર કરે અને આતે પિતાના આત્માનીજ પ્રેરણાથી સ્વ કર્તવ્ય સમજીને જ કેઈની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના જ પોપકાર કર્યા કરે એવા ઉત્તમ સ્વભાવને સ્વભાવિક રીતે ધારનાર ભવ્ય. ૨૧. લબ્ધ લક્ષ એટલે કે ઈ પણ કાર્યને સુખે સાધી શકે એ કાર્ય દક્ષ. હવે ઉપર કહેલા ૨૧ ગુણનું કંઈક સહેતુક ખ્યાન કરવાને ઉપક્રમ કરવામાં આવે છે. જેમ શુદ્ધ કરાયેલા વસ્ત્ર ઉપરજ રંગ જોઈયે એ બરાબર ચઢી શકે છે, પરંતુ અશુદ્ધ એવા મલીન વસ્ત્ર ઉપર રંગ ચઢી શકતું નથી, તેમજ ઉપર કહેલા ગુણ વિનાના મલીન આત્માને ધર્મને રંગ લાગતાજ નથી. ઉપર કહેલા ગુણવડે વિશુદ્ધ થયેલા આત્માને જ ધર્મને રંગ ચડે છે. વળી જેમ ખડબચરી અને પોલીસ કર્યા વિનાની ભીંત ઉપર ચિત્ર આબેહુબ ઉઠતું નથી પરંતુ ઘઠારી મઠારીને સાફ કરેલી સરખી ભીંત ઉપર ચિત્ર જોઈયે એવું આબેહુબ ઉઠી નીકળે છે તેમ ઉપર કહેલા ગુણેના સંસ્કાર વિનાના અસંસ્કૃત હદય ઉપર ધર્મનું ચિત્ર બરાબર પી શકતું નથી, પણ ઉક્ત ગુણોથી સંસ્કારિક હદય ઉપર સત્ય ધર્મનું ચિત્ર બરાબર ખીલી ઉઠે છે. ઉક્ત ગુણેની પ્રાપ્તિદ્વારા ભવ્ય આત્મા સત્ય ધર્મને ઉત્તમ લાભ પામી શકે છે એથી ઉપર કહેલા સગુણેને ખાસ અભ્યાસ કરવાની અત્યાવશ્યકતા સ્વતઃ સિદ્ધ થાય છે, અને તેથી જ ૧ Rough ૨ Unpolished,
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy