SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પથ સાધુ જીવનની રૂપરેખા ! ૧૦૧ : અતિશય જ્ઞાનીઓના વિરહયાં શાસ-વચન એજ આ હારને પરમ માર્ગ છે. શાસનું વાંચન પંક્તિઓ લગાવવા પુરતું ન રહેવું જોઈએ. પણ જીવનમાં વણી લેવું જોઈએ. રોજ ૫૦૦ લોકપ્રમાણ જરૂર વાંચવું. ૫ કેટલા બ્લોક કંઠસ્થ કર્યા ? શાસના શ્લોક યા ગાથા કે ગઇ કંઠાઝ રાખવાથી વૈરાગ્ય શુદ્ધ થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, આ મહિને પણ એક ગાથા થાય તે પણ ગોખવાનું જારી રાખવું. રાજ ૧ કલાક તે દેખવું. ખwભદ્રસૂરિ રાજ ૭૦૦ શ્લોક ગોખતા હતા. ૬ કેટલો વખત સત્સંગ કર્યો ? સત્સંગને પ્રભાવ અચિંત્ય છે, જ્ઞાની, વાની, ત્યાગી ક ચોગી એવા ગુણીજનનો સમાગમ મહાન લાભ આપે છે. પુણ્યવાનને જ તેને સમાગમ થાય છે. સંગ થયા પછી પણ તેનો લાભ થોડા જ આત્માઓ લઈ શકે છે. સત્સંગના એક ક્ષણ પાપી-આત્માને ઉદ્ધારનારો થાય છે. તેમની સેવા, વચન, ઉપદેશ્રવણ કષાયથી સળગતાને શાંત કરે છે. તેવા સાંગો સાક્ષાત્ લાભ ન મળે ત્યારે તેમનાં પુસ્તકોનું વાંચન-મનન પણ લાભદાયી છે. ૭ કેટલો વખત સદુપદેશ સાંભળ્યો? સદુપદેશ એ આત્માની આધ્યાત્મિક-પ્રગતિમાં અસાધારણ કારણું છે. હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવનાર સદુપદેશ છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy