SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિનપૂજનની-ન્યાયપુરસ્મરતા [ ૮૭ પરમ્પરાની પ્રાપ્તિના હેતુભૂત હોવાથી શ્રી અરિહતેનું પૂજન, અભિગમન, વન્દન અને પjપાસન આદિ સર્જન માટે ન્યાયયુક્ત છે. શ્રીઅરિહંતોને પૂજનની જરૂર નથી, તે પણ પૂજકને કલ્યાણ પરંપરાના કારણભૂત હોવાથી કૃતાર્થ એવા શ્રીઅરિહંતેની પૂજા અવશ્ય કર્તવ્ય છે. શ્રીઅરિહંતની પૂજા તેમના બિબોની પૂજા દ્વારા થઈ શકે છે. સંસારી આત્માઓ ધર્મ કરવામાં પ્રાય: આળસુ, કષ્ટભીરૂ અને પ્રમાદી હોય છે. તેવા જીને શ્રી જિનેશ્વરદેવની શાન્ત આકારવાની પ્રતિમાઓ વિગેરે જેઈને કર્મને ક્ષપશમ થાય છે. કર્મને પશમ થવામાં શાસ્ત્રકારોએ દ્રવ્યાદિને હેતુ માનેલા છે. શ્રી જિનેશ્વરદેના મને હર બિબે, એ ઉત્તમ દ્રવ્ય છે. શ્રી જિનમંદિર એ ઉત્તમ ક્ષેત્ર છે. પૂજન વખતને કાળ તથા ભાવ પણ ઉત્તમ હોય છે. ઉત્તમ પ્રકારના દ્રવ્યાદિની સામગ્રી મળવાથી મોહરૂપી મલ ઘટે છે. મેહનીયાદિ કર્મપ્રકૃતિઓને ઉપશમ, ક્ષપશમ કે ક્ષય થાય છે. મેહનીયનો ઉપશમાદિ થવાથી ચિત્તપ્રસન્ન-સ્વછ-નિર્મળ થાય છે. ચિત્તનિર્મળ થવાથી શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્ધા આવિર્ભાવ પામે છે. તેથી શ્રી જિનવચનનું શ્રવણ થાય છે અને શ્રવણથી સમ્યગદર્શનાદિગુણોને લાભ થાય છે. સમ્યગ્ગદર્શનાદિ ગુણેને પ્રાપ્ત થયેલા આત્માએને પણ શ્રી જિનપ્રતિમાદિના દર્શન, વન્દન, પૂજનાદિવડે પ્રમાદાદિ દૂર થાય છે, સવેગાદિ વધે છે અને શ્રી જિનગુણના ધ્યાનમાં મન એકાગ્ર થાય છે અને એથી પરમ શમરસભાવની પ્રાપ્તિ થાય છે.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy