SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ = = શ્રીજિનમહત્ત્વની-સિદ્ધિ અભાવ છે, સિદ્ધ ગવાળા સ્વામિના અનુભવથી યાચકે સંતોષી બની જાય છે. તેમની દાન લેવાની ઈચ્છા મર્યાદિત બની જાય છે, શમી જાય છે અથવા તે સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાથી દેવતાની શેષની જેમ યાચક અપ અપદાન જ ગ્રહણ કરે છે એ કારણે પણ શ્રી જિનેશ્વરદેવનું દાન ઘણું પ્રાણીઓ લે છે, તે પણ સંખ્યાવાળું જ રહે છે. કેટલાક કહે છે કે-શ્રી જિનેશ્વરદે દાન આપે છે, માટે અકૃતાર્થ છે અને અકૃતાર્થ છે, માટે મહાન નથી. તેઓનું એ કથન પણ વિચાર વિનાનું છેશ્રી જિનેશ્વરદેવ અકૃતાર્થ છે, માટે દાન આપે છે, એમ નથી પણ પોતાને કલ્પ છે, એમ માનીને દાન આપે છે તેમના દાનમાં કઈ પણ પ્રકારના ફળની કે બદલાની આશા નથી. કિન્તુ તીર્થકરપણાનું કારણભૂત કર્મ જ એવું છે કે જે દાનાદિના ક્રમ વડે જ સંપૂર્ણ પણે ભગવાય છે. કેટલાક કહે છે કે શ્રી જિનેશ્વરદેવ મહા પાપના કારણભૂત એવા રાજ્યાદિ મહા અધિકરણે પોતાના પુત્રાદિને આપે છે તથા લેકેને પાપમાં પ્રવૃત્તિ કરાવનાર શિલ્પાદિ શીખવે છે, માટે તેઓ મહાન નથી. આ તેઓનું કહેવું પણ વગર સમજનું છે. કારણ કે તેમ કરવામાં તેઓને હેતુ રાજ્યાદિ પ્રકૃત દોષથી અધિક દોષ-પરસ્પર હાદિને અતિરેક, વિગેરેનું નિવારણ કરવાનો હોય છે. અધિક દોષ નિવારણ વિષયક પોતાની શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરવી, એ પરાર્થ-માત્ર–પ્રવૃત્તશુદ્ધ-આશયવાળા મહાત્મા પુરૂષને માટે અઘટિત છે. શિલ્પ અને કલા વિગેરેના દાનની પાછળ પણ
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy