SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદર્શન સંબંધી શંકા-સમાધાન | [ ૧૯૧ પણ કિંમત વિનાના છે. અથવા શ્રી જિનમતમાં જેમ સમ્યગ્દર્શનમાં જ્ઞાન અને ચારિત્ર, સમ્યજ્ઞાનમાં દર્શન અને ચારિત્ર તથા સમ્યફ ચારિત્રમાં જ્ઞાન અને દર્શન મળેલાં છે, તેમ જ્ઞાનાધ્યયનમાં દેવદર્શન અને સામાયિક, સામાયિકમાં જ્ઞાનાધ્યયન અને દેવદર્શન તથા દેવદર્શનમાં જ્ઞાનાધ્યયન અને સામાયિક માનેલાં છે. એકને સ્વીકારીને બીજાને નિષેધ કરનાર એકને પણ શુદ્ધરીતિએ સ્વીકારી શકતો નથી. એકલા જ્ઞાનાધ્યયન કે એકલા સામાયિકને પકડી દેવદર્શનને છોડી દેનારાઓ સમ્યજ્ઞાની કે યથાર્થ ચારિત્રી બની શકતા નથી. જ્ઞાન જેમ અજ્ઞાનથી થનારા આશ્રવને રોકનાર છે અને ચારિત્ર જેમ અવિરતિથી થતા આશ્રવને અટકાવે છે, તેમ દેવભક્તિ પણ મિથ્યાત્વથી આવતા ઘોર આશ્રવને અટકાવનારી છે. શ્રી જિનમતમાં અજ્ઞાન અને અવિરતિથી જેમ કર્મને આશ્રવ અને બંધ માને છે, તેમ મિથ્યાત્વથી પણ કમને આશ્રવ અને બંધ માનેલો છે. મિથ્યાત્વના આશ્રવને અટકાવવાનું અને બંધને બંધ કરવાનું કાર્ય એકલા જ્ઞાન કે ચારિત્રથી થતું નથી. કિન્તુ તે માટે દેવભક્તિની પણ પરમ આવશ્યકતા છે. દેવદર્શન” એ દેવભક્તિનું પરમ પ્રધાન અંગ છે. એ વિના દેવને નમન-વંદન-અર્ચન-પૂજનધ્યાનાદિ કાંઈ પણ થઈ શકતું નથી. એ કારણે દીર્ઘદશી જ્ઞાની મહર્ષિઓએ આબાલવૃદ્ધ સર્વને ઉપકારક દેવદર્શનની પવિત્ર કિયા નિરન્તર કરવા માટે અત્યંત ભારપૂર્વક ઉપદેશ આપે છે. જેનાથી બીજું કાંઈ પણ
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy