SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ] દેવદર્શન અમૃતાનુષ્ઠાન– "जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुंगवाः ॥ १॥" આ અનુષ્ઠાન શ્રીજિનેશ્વરએ કહેલું છે માટે એજ એક તત્ત્વ છે એવા પ્રકારની પરિણતિથી ભાવસાર–શ્રદ્ધાપ્રધાન અને સંવેગગર્ભ–મેક્ષની અભિલાષા સહિત કરાતા અનુષ્ઠાનને ગતમાદિ મહામુનિઓ અમૃતાનુષ્ઠાન કહે છે. અમરણ– મુક્તિને અવધ્ય હેતુ હોવાથી તેને અમૃત કહેવાય છે. અમૃતાનુષ્ઠાનનું લક્ષણ બાંધતાં અન્યત્ર પણ કહ્યું છે કે તર્ગત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણે; વિસ્મય પુલક પ્રમાદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત કિયા તણે–૧ ” જેમાં ચિત્તની એકાગ્રતા છે, જે શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત છે, જેમાં શુભ ભાવની અત્યંત વૃદ્ધિ છે, જે કરતી વખતે ભવને અતિશય ભય છે, ચિત્તમાં વિસ્મય છે, શરીરમાં રોમાંચ ખડા થાય છે અને દરિદ્રને નિધાનની પ્રાપ્તિ કે જન્માભ્યને નેત્રની પ્રાપ્તિથી પણ જેમાં અધિક આનંદ છે, એ પ્રકારના લક્ષણવાળા અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેવાય છે. એવું અનુષ્ઠાન એકજ વાર પ્રાપ્ત થઈ જાય તે પણ તેને સ્વાદ કદી પણ જતો નથી. ઉપરોક્ત પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં પ્રથમના ત્રણ અનુષ્ઠાને ચગાભાસ હોવાથી નિરર્થક અને નુકશાનકારક છે. છેલ્લાં બે અનુષ્ઠાન યોગસ્વરૂપ હોવાથી આત્માને અત્યંત હિત કરનાર છે.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy