SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદર્શન શ્રેષ્ઠ છે એ કથન જેઓ પૂજા કરે છે અને સત્ય ખેલવું, વિગેરે બીજી આજ્ઞાઓને પાળતા નથી, તે માટે છે. પરન્તુ જેઓ સત્ય ખેલવું વિગેરે ખીજી આજ્ઞાને પાળે છે અને શ્રી જિનપૂજા કરવાની આજ્ઞાને પાળતા નથી, તેની સઘળી પણ ધર્મક્રિયાઓને શાસ્રકાશએ નિષ્ફળ કહી છે. ક્યું છે કે— ૧૪ ] “ લાંબા કાળ સુધી તપ તપ્યા, ચારિત્ર પાળ્યું અને ઘણું પણ શ્રુત ભણ્યા છતાં જેને શ્રીજિનપૂજાનેા મનેારથ થયા નથી, તેનું સઘળું નિષ્ફળ ગયું સમજવું. શ્રીજિનપૂજાના મનેારથ વિનાના તપ એ લંઘન છે, ચારિત્ર એ કાયકષ્ટ છે અને શ્રત એ મિથ્યા છે. શ્રીજિનપૂજા એ મિથ્યાત્વરાગનું ઔષધ છે. એ ઔષધનું જે ભાવથી સેવન કરતા નથી, તેઓના મિથ્યાત્વરૂપી રોગ નાશ પામતા નથી. મિથ્યાત્વયુક્ત ધર્માનુષ્ઠાનને શાસ્ત્રકારાએ અંક વિનાના મીંડા તુલ્ય ગણેલું છે. પ્રશ્ન॰ શ્રી જિનપૂજા એ દ્રવ્યસ્તવરૂપ છે અને દાનાદિ ધર્મીનું આસેવન એ ભાવસ્તવરૂપ છે. ભાવસ્તવ કરનારને દ્રવ્યસ્તવની શી જરૂર ? સમાધાન॰ શ્રીજિનમતમાં ધર્મના ચાર પ્રકાર ક્યાં છે. દાન, શીલ, તપ અને ભાવ. તેમાં ભાવ વિનાના દાનાદિ ત્રણ ધર્મને શેરડીના પુષ્પની જેમ નિષ્ફળ માનેલા છે. દાનાદિ ત્રણ ધર્મને સફળ મનાવનાર ' ભાવ' છે. એ ભાવની પ્રાપ્તિ માટે અનેક પ્રકાસ
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy