SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૮ : જ્ઞાન પ્રદીપ. જોઈને જનતામાં અસહિષ્ણુતા ઉત્પન્ન થવાના પ્રસંગે ઘણાં જોવાય છે; પણ બીજાની આપત્તિ-વિપત્તિ જોઇને અસહિષ્ણુતા ઉત્પન્ન થવાનો પ્રસ`ગ કવચિત કદાચિત જ જણાય છે. સંસારમાં સજ્જન અને દુર્જન એમ બે પ્રકારના માણસે હાય છે. આ બંને પ્રકારના માનવીયાને ઓળખવાના લક્ષણામાં સાધારણ લક્ષણ છે, અને તે અસહિષ્ણુતા છે. લક્ષણ સરખું હાવા છતાં પણ ભાવાની ભિન્નતાથી માનવીએમાં ભેદ દેખાડે છે. દુજન માણસા હુંમેશાં બીજાના સુખ-સંપત્તિને જોઇને કે સાંભળીને સહન કરી શકતા નથી, એટલુ જ નહિં પણ ગુણવાન પુરુષાની મેાટાઈ, કીતિ કે "ગુણસ્તવના થતી જોઇને મનમાં અન્યા કરે છે. અને આવા પુરુષોને જનતામાં હલકા પાડવા નીચ પ્રયાસેાના આદર કરે છે. ત્યારે સજ્જના ખીજાની આપત્તિવિપત્તિ જોઇને સહને કરી શકતા નથી, મનમાં દુ:ખી થાય છે અને તેને દૂર કરવાને પેાતાની સુખ-સંપત્તિના ભોગ આપી સતાષ માને છે, ગુણી પુરુષાની ગુણસ્તવના કરીને આહ્લાદ પામે છે. સંસારમાં આ અને પ્રકારની અસહિષ્ણુતામાંથી બીજાની સુખ–સ'પત્તિ, ગુણસ્તવના જોઇને કે સાંભળીને અથવા અન્યના પ્રતિકૂળ વતનથી ઉદ્ભવેલી અસહિષ્ણુતાના અંગે અનિષ્ટ ઉપાચાદ્વારા એક બીજાની લાગણી દુભાવી હાય, અને એક બીજાને શારીરિક અથવા માનસિક દુઃખ આપી પરસ્પર વૈરવિરાધ વૃતિચે પોષી હોય તેના માટે ક્ષમા માંગવાના, અર્થાત્ પોતાના પ્રતિકૂળ વતનથી ખીજાને થયેલા સંતાપને શમાવી દઈ સહન કરવાને પ્રાથના કરવાના રિવાજ ચાલ્યા આવે છે.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy