SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૫૪ : જ્ઞાન પ્રીપ. વેદે છે. એટલે સુખ જાણે છે, દુઃખ જાણે છે. વેદવુ' એટલે જાણવું. જડના વિકારોનું વિકારરૂપે જ્ઞાન તે (સુખ, દુ:ખ, હર્ષ, શાક, ભય, રતિ, અરતિ, હાસ્ય, રાગ, દ્વેષ વગેરે વગેરે વિકારામાં વિકારરૂપે પરિણત થવાથી) અજ્ઞાન કહેવાય છે અને અવિકારરૂપે પરિણત થયેલું જ્ઞાન કહેવાય છે અને જ્ઞાનનું જડજન્ય વિકારામાં અવિકૃતપણે પરિણમન તે જ સાચું સુખસાચા આનંદ કહેવાય છે. તેને જ સ્વરૂપરમણતા અને મુક્તિ કહેવામાં આવે છે. જ્ઞાન તે મુક્તિ અને અજ્ઞાન તે બંધનસંસાર. જ્ઞાનમાં વિકાર એટલે જડજન્ય વિકારામાં મારાખ્યું. અને વિકારામાં મારુ... નથી એવું પરિણમન તે અવિકાર. વિકાર તે અજ્ઞાન અને અવિકાર તે જ્ઞાન. અજ્ઞાન તથા જ્ઞાનમાં કેવળ એટલેા જ તફાવત રહે છે. જ્ઞાન પણ જ્ઞાન છે અને અજ્ઞાન પણ જ્ઞાન છે; કારણ કે જ્ઞાનના સ્વભાવ જડના વિકારામાં પરિણમન થવાના છે. તેમાં વિકૃત પરિણમન તે અજ્ઞાન અને અવિકૃત પરિણમન તે જ્ઞાન. જીવન તથા મૃત્યુને માટે પણ સાચુ` જીવન તે અવિકૃત પરિણમેલું જ્ઞાન છે અને જ્ઞાનનું વિકૃત પરિણમન તે જ જન્મ-મૃત્યુ. જડના વિકારાને ભગવનાર ભેક્તા આત્મા નથી. જડના વિકારસ્વરૂપ ઇંદ્રિયા છે. પાતાનાથી ભિન્ન જડના વિકારસ્વરૂપ વિષયામાં ભલે ભળે, પરંતુ આત્માએ તે। તેમાં નાંતા, દ્રષ્ટા તિરકે રહેવાનું છે; કારણ કે આત્મા જ્ઞાતા છે પણ ભક્તા નથી. સ્વરૂપ ભાક્તા જાણવું તે જ્ઞાનનું અવિકૃત પરિણમન. વિષયભાગ એટલે જડના વિકારેાના જડના વિકારેની સાથે વિચિત્ર સયાગ. આ સંયોગસ્વરૂપ ભાગ આત્માના હોઇ શકે નહીં, કારણ કે આત્મા નિરંતર જ્ઞાનના ભક્તા છે અને તે
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy