SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^^^^^^^^^ /~/vv vvvvvvvvvvv૧૧/૫/૧ ,, : ૩૫૦ : જ્ઞાન પ્રદીપ, કે અભેદભાવ હોતું નથી. જે પિતાના આત્મા ઉપર દયા રાખતા શિખ્યા જ નથી તેઓ બીજાઓ ઉપર દયા રાખી શકતા નથી. અને નિર્દયતાથી કરેલા અપરાધની માફી કેવી? તેમ છતાં નિર્દયતાથી કરેલા અપરાધની પણ માફી મળી શકે છે. અર્થાત્ દુગતિમાં જવાની સજા ભેગવવી પડતી નથી. પણ તે કેવી રીતે? ચિલાતીપુત્રની જેમ કરીએ તે, અર્જુનમાલીની જેમ કરીએ તો. તે ય વૈરી બનેલા તે વૈર લેવાના જ ! જેમ કેઈ પિતાના પુત્રને જ પિતાને સ્વાર્થ ભ્રષ્ટ થવાથી કોધાંધ બનીને માર મારે છે અને તે મરી જાય, પછી તેના પિતાની કેવી દશા થાય? તેના હૃદયમાં આ કૃત્ય માટે પશ્ચાત્તાપ, દુઃખ અને શોક કેટલે થાય? થાય છે કઈને ક્ષમા માગતાં, ચેરાશી લાખ નિના જીવને ખમાવતાં એટલે પશ્ચાત્તાપ, દુઃખ કે શોક ? માટે જ નિરપરાધી બનવાની અત્યંત આવશ્યકતા છે. જેમ બને તેમ ઓછા અપરાધે અને વધુ લાભે માનવજીવન વ્યતીત કરવું, કારણ કે જે ઉગ્ર પરિ. ણામથી આપણે અપરાધ કરીએ છીએ તેટલા જ ઉગ્ર શુભ પરિણામ નિરપરાધી બનવા ક્ષમા માગતી વખતે હેતા નથી, થતા નથી; માટે સુખના અથીએ શુદ્ર સ્વાર્થો જતાં કરી સ્વપરના શ્રેય માટે દયાર્દ હદયે જૂના અપરાધની ક્ષમા આપવી ( સહન કરવું) અને નવા અપરાધ ન કરવા.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy