SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ મમતાની કૂંચી. ૩૪૧ : આચાયને ગુણ મેળવો તે આત્મસ્વરૂપ છે. આત્મા ઉપર જેટલી બનાવટ છે તે સઘળાયે કર્મના વિકારે છે. આત્મામાં વિકાર નથી પણ જડના (પુગલસ્કંધમાં) વિકાર છે. આત્મા અખંડ છે. જડ પુદ્ગલસ્કંધ ખંડ છે. કમથી મુકાયેલો આત્મા અને અન્ય રૂપે થતું નથી, પણ આત્માથી વિખૂટાં પડેલાં કર્મ અને અન્ય રૂપે થાય છે, કારણ કે અનંતાનંત પુદ્ગલ પરમાણુઓને સમુદાય છે માટે જ અનેક પ્રકારના વિકૃત પરિણામને પામે છે. વસ્તુને જાણ વિચારશીલ પુરુષને હર્ષ, શેક કે આશ્ચર્ય થતાં નથી. વસ્તુસ્વરૂપનું જ્ઞાન થયા પછી વિવેકી પુરુષના સમતાસાગરમાં સેંભ થતો નથી. અનેક પ્રકારના કર્મના વિકાર વિલાસેને જોઈને જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રત્યે તિરસ્કાર, અણગમે કે અરુચિ થતી નથી તેમજ રેષ કે તેાષ પણ થતું નથી. કર્મોના વિકારે માટે કોઈ પણ પ્રકારના વિચારે જ ઉત્પન્ન થતા નથી. હમેશાં આત્મદશામાં મગ્ન રહીને દ્રષ્ટા તરીકે જ પિતાને માને છે. પોતાને વળગેલાં કર્મોના વિકારો માટે પણ સમભાવી ને દ્રષ્ટા હોય છે. ધન, સંપત્તિ કે અન્ય પ્રકારના ઈષ્ટ પુદગલોના સંગરૂપ કર્મના વિકારેને ઈચ્છતા નથી. જે સમયે જેવા કર્મના વિકારથી જેવા પદગલિક સંગે પ્રાપ્ત થાય છે તેને સમભાવે જોયા કરે છે. પણ ઈષ્ટ અનિષ્ટના સંગ-વિયેગ માટે વિચાર કે પ્રવૃત્તિ કરતાં નથી. ક્રોધ, લોભ, હાસ્ય, રતિ, અરતિ આદિ કર્મના વિકાનો આત્મામાં વ્યવહારદષ્ટિએ આરેપ કરવામાં આવે છે, પણ તત્ત્વદષ્ટિથી જોતાં આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ રહેલાં છે અને ક્રોધાદિ આત્માના સંગથી કર્મસંજ્ઞાને ધારણ કરવાવાળા જડના વિકારે છે. આત્મસંગથી ઉત્પન્ન થવાવાળા હોવાથી વ્યવહારમાં ક્રોધી આત્મા,
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy