SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસનું કિરણ : ૩૯ : સહન કરતાં શીખ્યા નથી ત્યાં સુધી ધર્મ કરીએ છીએ અથવા કર્યો છે, તત્ત્વબેધ કરીએ છીએ અથવા કર્યો છે, કહી શકાય જ નહિ. સાચી સહનશક્તિ પ્રગટ થયેલી ત્યારે જ કહી શકાય કે જ્યારે પ્રતિકૂળ સંગે કે સંબંધોનું સ્મરણ પણ ન થાય તેમ જ રણ પણું ન થાય, કારણ કે સ્કુરણ જ સકળ સંસારનું ઉપાદાનું કારણ છે. બહારથી ગમે તેવી પ્રવૃત્તિમાં રહ્યા છતાં તે સમયની સ્કુરણા જ ભાવી સંસારની વ્યવસ્થા બનાવે છે. તમે વાંચ્યું હશે અથવા તે વાત સાંભળી હશે કે “ઘડ વહુ સ્થા” આ ફુરણા જ જગતનું ઉપાદાન કારણ બની છે, અર્થાત્ સ્કુરણામય પ્રભુથી સંસારની ઉત્પત્તિ થઈ છે. ફુરણામય પ્રભુ તે જગત અને ફુરણાવિહીન પ્રભુ તે પ્રભુ. આમ સમળ અને નિર્મળ આમા બે સ્વરૂપમાં વહેંચાઈ ગયા છે. જ્યાં સ્કુરણ નથી ત્યાં સંસાર નથી. ત્યાં કેવળ આત્મસ્વરૂપ જ છે. નિર્વિકલ્પ સ્કુરણવિહીન સમાધિ તે જ વાસ્તવિક ધર્મ અને તે જ પોતે આત્મા. પ્રસન્નચંદ્ર રાજર્ષિને પણ ફુરણાત્મક સાતમી નરક હતી. કુરણ નષ્ટ થતાંની સાથે જ સાતમી નરક પણ નષ્ટ થઈ ગઈ અને નિર્વિકલ્પ સમાધિ થતાની સાથે જ આત્મદર્શન થયાં. . આત્મસ્વરૂપ મેળવવાને ફુરણાની આવશ્યકતા નથી. ફુરણનું ઉપાદાન કારણ કમ છે, માટે કમજન્ય ફુરણ હોવાથી કમને વિકાર છે. અને વિકાર વિકાસનું કારણ બની શકે નહિ. જડ અને જડના વિકારે પ્રારંભમાં કાંઈક મદદગાર થઈ શકે ખરા, પણ તે વિકાસ દષ્ટિ વિચારીને નહિ. વિલાસ દૃષ્ટિવાળાને તેનું આત્મિક નુકશાન કરનારે થાય છે. શક્તિ મેળવવાની દષ્ટિ
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy