SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૬ : જ્ઞાન પ્રદીપ vvvvv vvvvv અને માની લે કે અમારી વિહારભૂમિ માત્ર જ વિશ્વ છે તેમ જ પૂર્વજન્મ અને પુનર્જન્મની અજ્ઞાનતારૂપ બે વિકટ પહાડોના વચમાં વસનાર વિલાસી આત્માઓ વિહારભૂમિની વિશાળતા જાણી શકતા નથી, ઐહિક જીવનમાત્રને જ વિહારભૂમિ માની વિલાસમાં આસક્ત રહે છે અને દુઃખને સુખ માની સાચું જીવન વેડફી નાખે છે. ઘણું કાળને સહવાસ, સાચા સાધનને અભાવ, સાચી વસ્તુની અણજાણતા આદિ અનેક કારણોને લઈને પુદગલમાં ઓતપ્રેત થઈ ગએલે આત્મા પિતાને વિકાસ કરી શકતો નથી. હીરાની ખાણમાં હીરે રહે છે પણ જ્યાં સુધી સાચા સાધન વડે પૃથ્વીના ઉપરના પડે ઉકેલાય નહિ ત્યાંસુધી હીરે પ્રગટ થઈ શકે નહિ. તેમજ આત્મભૂમિમાં રહેલે કેવળજ્ઞાનરૂપ હીરે કર્મરૂપી પરા-માટીના આઠ પડો ઉકેલ્યા વગર પ્રગટ થઈ શકે નહિ. ઉપાય જાણવા છતાં, તીવ્ર ઈચ્છા હોવા છતાં પુન્યની સહાયતા ન હોવાથી ધાર્યું બની શકતું નથી. ઈરછા માત્ર સાચા સાધન મેળવવાની જ. બાકી વિકાસ તે છે. તેની ઈચ્છાની કંઈ જરૂરત નથી. મળેલા પુન્યને વિકાસના માર્ગે વાપરવું. તેમ ન બની શકે તે પુન્ય કમાવાને વાપરવું પણ વિલાસમાં વાપરી વિકાસ કે કમાણી ખેવી નહી–એટલી જ ભલામણુ.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy