SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પ્રદીપ. સ્થાપનાભૂમિ સ્થાવર તીર્થ તરીકે પ્રસિદ્ધિમાં આવે છે અને તે પ્રભુની હયાતી પછી તરવાની ભાવનાવાળા ભવ્ય જીવોને સંસારમાંથી તરવાનું અદ્વિતીય સાધન ગણાય છે. અનાદિ કાળથી કષાય-વિષયરૂપ અનુશ્રોત–પ્રવાહમાં ઘસડાતા જીને પ્રતિશ્રોતસામે પૂરે તરીને સંસારથી બહાર નીકળવામાં સ્થાવર તીર્થ અસાધારણ સહાયક થાય છે. તીર્થ સ્પર્શનની આવશ્યક્તા– પ્રત્યેક ગામમાં સ્થાપનાતી હોય છે, અને તેના દશનપૂજન કરીને અનેક ગ્રામવાસિયો ભાવનાનુસાર લાભ લે છે, છતાં તેમને પણ વિશિષ્ટ ભાવશુદ્ધિદ્વારા વિશિષ્ટ ફળ મેળવવાને તીર્થ કરેની કલ્યાણકભૂમિ, સામાન્ય કેવળીઓની કેવળજ્ઞાન યા નિર્વાણભૂમિ અને વિશુદ્ધતર સ્થાપનાભૂમિની સ્પર્શનાની અનિવાર્ય આવશ્યક્તા ખરી. ભાવનાની મંદતા, શ્રદ્ધાની શિથિલતા, લેભની તીવ્રતા અને વસ્તુસ્થિતિની અણજાણતાના અંગે, પ્રતિમાઓ બધે ય સરખી જ છે, “મન ચંગા તો કથરેટમાં ગંગા” વિગેરે વિગેરે વિચારેને આધીન થઈને પવિત્ર ભૂમિએની ઉપેક્ષા કરવાથી સર્વોત્કૃષ્ટ લાભથી વંચિત રહી જવાય છે. સ્થાવર તીર્થની અનાવશ્યકતાનો વિચાર લાવ્યા પહેલાં તીર્થસ્પશનાને વાસ્તવિક હેતુ જાણવાની અત્યંત આવશ્યકતા છે. - તીર્થ સ્પશનને હેતુ– જેમ અનેકે ઉપચાર કરીને કંટાળી ગયેલે રેગી માણસ રોગમુક્ત થવાને કઈ સારા વૈદ્ય કે ડોકટરની દવા કરતા હોય અને તેઓ તેને સલાહ આપે કે તમારે સારા હવા-પાણીવાળા
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy