SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસના પંથે : ૨૭૭ : ચિતન્ય જગતને સ્વામી બનવા કરે તે સર્વ દેથી મુક્ત થઈને બન્ને જગતને સ્વામી બની શકે છે પણ અજ્ઞાનતાથી માનવી મેટી ભૂલ કરે છે. ધન, બાગ, બંગલા, જમીન, વસ્ત્ર, ઘરેણું વિગેરે જડ વસ્તુઓ પિતાની માલીકીની બનાવી રાજી થાય છે. પિતે એમ માને છે કે આ બધી વસ્તુઓને હું સ્વામી છું, આ બધી વસ્તુઓને હું ભેગવનાર છું. કેટલી બધી અજ્ઞાનતા ! કેટલી ગેરસમજ! તાત્વિક દષ્ટિથી વિચાર કરનાર, ઉપશમભાવે અવલોકન કરનાર જ્ઞાની પુરુષોને તે આવી માન્યતાવાળા બાળજી ઉપર અત્યંત કરુણા ઉપજે છે, કારણ કે આવા જ અજ્ઞાનતાને લઈને જડ વસ્તુઓ ઉપર સ્વામી પણાનું અભિમાન ધરાવે છે, પણ તે સ્વામી નથી; સેવક છે, ગુલામ છે, તાબેદાર છે. પિતે જડ વસ્તુઓ પાસેથી આનંદ-સુખની ભિખ માગતા હોવાથી ભિખારી છે. પોતે વસ્તુઓને નથી જોગવતા પણ જડ વસ્તુઓ તેના અમૂલ્ય જીવનને ઉપભેગ કરી તેને નિર્માલ્ય બનાવે છે. જે જીવન પોતાના વિકાસ માટે વાપરવાનું હોય છે, તેને ન વાપરવા દેતાં પતે જડ વાપરે છે, અને અનંતબળી આત્માને પોતાની આણમાં વર્તાવી તેનું સર્વસ્વ હરણ કરે છે. સંસારવાસી છે અનાદિ કાળથી સંસારમાં ભ્રમણ કરતા હોવાથી એક બીજાની સાથે અનેક ભવમાં અનેક પ્રકારનાં સંબંધથી જોડાતા આવ્યા છે. એ કઈ પણ સંસારી જીવ નથી કે જેને બીજા ની સાથે સંબંધ ન થયો હેય. એક એક જીવની સાથે અનંતી વાર સંબંધ થયો છે. સંબંધ પ્રારબ્ધના અનુસારે અનુકૂળ તથા પ્રતિકૂળપણે થાય છે. કેટલીક વખત અનુકૂળ સંબંધ થાય છે અને કેટલીક વખત પ્રતિકૂળ
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy