SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૬૮ : જ્ઞાન પ્રદીપ. તે વસ્તુ જ નથી. સિદ્ધાત્માઓમાં શેયની અપેક્ષાથી ઉત્પત્તિ કે વિનાશ થયા જ કરે છે. શેય વસ્તુની ઉત્પત્તિથી જ્ઞાનની ઉત્પત્તિ અને શેયના વિનાશથી જ્ઞાનનો નાશ. આત્મા તે ધ્રુવપણે રહે છે. આત્માની ઉત્પત્તિ કે વિનાશ નથી. આ પ્રમાણે વિચાર કરતા નિરપેક્ષ ઉત્પત્તિવાળા સુખદુ:ખ તે કાંઈ પણ વસ્તુ જ નથી, એમ જ્ઞાની પુરુષો માનતા હોવાથી તેમને તેની કોઈ પણ અસર થતી નથી. તેઓ તે આત્મસ્વરૂપને જ સુખ માને છે કે જે એક આત્માને ગુણ છે અને દુઃખ તે વાસ્તવિક કે અવાસ્તવિક કાંઈ પણ વસ્તુ જ નથી. એક કંગાલ માણસને અણચિંત એક લાખને લાભ થયે એટલે તે પિતાને પરમ સુખી માનીને ઘણો જ ખુશી થયે. એક મહિના પછી કે તરત જ બે લાખનું નુકસાન થયું એટલે તે પિતાને પરમ દુઃખી માની શોકાતુર થયે. બતાવે, આ સુખ તથા દુઃખ શું વસ્તુ છે ? લાભાંતરાયને શોપશમ અને લાભાંતરાયના ઉદય સિવાય બીજું કાંઈ પણ નથી. સુખ-દુઃખ તથા હર્ષ-શેકમાં રતિમોહનીય તથા અરતિ કે શોકમેહનીયના ઉદય સિવાય બીજું કશું ય નથી. શુભાશુભ કર્મના ઉદયથી કે ક્ષયથી આત્મામાં ઉત્પન્ન થવાવાળી વિકૃતિને વાસ્તવિક વસ્તુ માનનારા આત્માઓ કેટલી ભૂલ કરે છે? સાપેક્ષ ઉત્પત્તિ વિનાશ અને નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ આ બન્ને સારી રીતે જણાવાથી નિત્યાનિત્ય, વાસ્તવિક, અવાસ્તવિક વસ્તુઓ સારી રીતે તેમજ સાચી રીતે ઓળખી શકાય છે. વસ્તુની વાસ્તવિક-યથાર્થ ઓળખાણ થવાથી સાચા સુખને માગ સરલ થઈ પડે છે. સાપેક્ષ ઉત્પત્તિ કે વિનાશ એટલે બીજી ઉત્પન્ન થવાવાળી તથા નાશ થવાવાળી વસ્તુની અપેક્ષાથી જે અનુત્પન્ન તથા
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy