SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૪ઃ જ્ઞાન પ્રદીપ. છે. આ પ્રમાણે એક જીવન પૂરું થતાં બીજા જીવનની શરુઆત થવી અને બીજું જીવન પુરું થતાં ત્રીજા જીવનની શરુઆત થવી, આવા પર પરાસ્વરૂપ જીવન પરિમિત જીવન કહેવાય છે. આ જીવનમાં જીવવાને દેહને આશ્રય લેવો પડે છે. જ્યાં સુધી દેહનો સંગ બન્યો રહે છે ત્યાં સુધી જીવન કહેવાય છે અને જ્યાં સુધી આત્માનો આયુષ્યકર્મની સાથે સંગ થયા કરે છે ત્યાં સુધી આત્માને નવા નવા વિચિત્ર પ્રકારના દેહનો આશ્રય લેવો જ પડે છે અર્થાત્ નવા નવા શરીરની સાથે સંગ સંબં ધથી અવશ્ય જોડાવું પડે છે. આવા દેહસંબંધ સ્વરૂપ જીવનમાં જીવવા ટેવાઈ ગયેલા જીવને આત્મા જ જીવનસ્વરૂપ છે તેનું જ્ઞાન ન હોવાથી દેહ વિયેગસ્વરૂપ મરણથી અત્યંત ભય પામીને સદા સર્વદા દેહનો સંબંધ જાળવી રાખવાને આ-વિકાસના બાધક અધમ સ્વરૂપ આત્માનું અવલંબન લે છે; પરંતુ પરિણામે તે અવશ્ય થવાવાળે દેહનો વિયોગ થવાથી નિરાશ થવું પડે છે. સંગકાળમાં પણ પરમાર્થ દષ્ટિયા વિચારી જોતાં જડચૈતન્યમાં સંબંધસ્વરૂપ પરિમિત જીવનના સંગને વિગ પ્રતિક્ષણે થયા જ કરે છે, પરંતુ સ્કૂલ બુદ્ધિ વાળા અજ્ઞાની જીવને ન જણવાથી દેહ તથા આત્માને વિગ ન થવા દેવાને અનેક પ્રકારના પ્રયત્ન કર્યો જાય છે, છતાં સંગને ચિરસ્થાયી બનાવી શકતા નથી, કારણ કે સંયેગ સ્થિર રાખવા કરવામાં આવતા ઉપાયે દરમિયાન પણ સામયિક વિગ તો ચાલુ જ રહે છે. દીવાને જાળવી રાખવાને માટે હેલવાઈ ન જાય એવી બુદ્ધિથી ફાનસમાં અથવા તે બીજા કેઈ સ્થળે કે જ્યાં પવન ન લાગે ત્યાં રાખે છે પણ પ્રત્યેક ક્ષણે ક્ષય થવાવાળા તેલ તરફ ધ્યાન આપતા નથી, જેથી કરીને
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy