SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦૬ : જ્ઞાન પ્રદીપ. પેાતાના નિર્વાહ માટે પરાધીનતા ભાગવવી પડે છે; કારણ કે પારકી વસ્તુ વાપરવાની ઇચ્છાવાળા તે વસ્તુને આધીન થયા સિવાય વાપરી શકતા નથી તેમજ તે વસ્તુ નષ્ટ ન થાય તેની પણ તેને કાળજી રાખવી પડે છે; છતાં પરવસ્તુ ક્ષત્રુવિનશ્વર હેાવાથી છેવટે નષ્ટ થઈ જાય છે અને પેાતાનો સંપત્તિથી દરિદ્રી અનેલા આત્મા અનેક પ્રકારની આપત્તિવિપત્તિના આશ્રિત અને છે. સંતપુરુષા માહનો શિખવણીથી મૂંઝાતા નથી, અર્થાત્ સુંદર મકાન, વસ્ત્ર, ઘરેણાં, ભેાજન આદિ પાંચે દ્રિચાના વિષયભૂત પદાર્થોમાં આસક્તિવાળા થતાં નથી, કારણ કે તેઓ પુગલસ્કંધાની રચનાથી જાણીતા હાય છે એટલે તેમને આત્મા સિવાય ખીજે કયાંય પણ સુંદરતા જણાતી નથી. આત્મા સ્વભાવથી જ સત્-સત્ય અને સુંદર હેાય છે અને તે જ્ઞાનદષ્ટિથી જોનાર જ્ઞાની પુરુષાને સાચી રીતે જણાય છે. આંખેાથી જોનારને આત્મામાં જે સુંદરતા–અસુંદરતા, સારા-નરસાપણુ આદિ વિકૃતિ જણાય છે તે આત્માની નથી પરંતુ કમજન્ય છે અને તે પુદ્ગલસ્વરૂપ છે. આત્મસ્વરૂપ જ્ઞાનથી જણાય છે, પણ આંખાથી જણાતું નથી અને એટલા માટે જ ઇંદ્રિયોથી વસ્તુનુ સાચું સ્વરૂપ જાણી શકાતુ નથી, કેવળ ઇંદ્રિયાથી જડ પદાર્થીનું સત્ય સ્વરૂપ જાણી શકાય, નહી તેા પછી ચૈતન્યનું સાચુ' સ્વરૂપ કેવી રીતે જાણી શકાય ? ચૈતન્ય અખંડ નિવિકાર જ્ઞાનસ્વરૂપ છે અને જડ પદાપરમાણુઓના કધસ્વરૂપ છે. જડ વસ્તુના સ્કંધામાં નિર'તર મળવાપણુ' અને વિછડવાપણુ' થયા કરે છે. એટલે હમેશાં એક રૂપે રહેતા નથી, પર’તુ દરેક ક્ષણે પરિવર્તનશીલ હોય છે; ત્યારે આત્મા નિરંતર જ્ઞાનસ્વરૂપ રહેવાવાળો છે. જો કે આત્મામાં પરિવતાનપણું છે પરંતુ તે સ્વરૂપે નથી પરરૂપે છે અને પૌલિક
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy