SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦: જ્ઞાન પ્રદીપ. અજ્ઞાનતાથી માની લીધેલા આનંદના અભાવે વિલાસનો પણ અભાવ હોય છે. કના આવરણને ખસેડીને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાપ વિકાસની વાટે વળેલાં મહાપુરુષો વિલાસને કનો પોષક માનીને તેનો આદર કરતા નથી તેમજ અનુકૂળ પૌલિક વસ્તુઓની ઇચ્છાથી રહિત હોય છે. આડકતરી રીતે પણ વિષયોનો ઉપયોગ કરતા નથી. વિકાસના કાર્યમાં દેહને સાધનરૂપ માનીને તેને ટકાવી રાખવા પૂરતા જ પૌલિક વસ્તુઓના ઉપયોગ કરે છે. કેવળ આત્મવિકાસની ભાવનાથી ઉપયોગ પૂરતી જ પૌલિક વસ્તુએ અનાસક્તિભાવે વાપરે છે, પણ ક્ષુદ્ર કામનાઓ સાષવા આસકિતભાવે ઉપભાગ તરીકે વાપરતા નથી. તાત્પર્ય કે અંતરાત્મદશાને પ્રાપ્ત થયેલા મહાપુરુષોની ભાવનામાં વિલાસનો અંશ પણ હાતા નથી, કારણ કે તેઓ જાણે છે કે વિલાસ અને વિકાસ બન્ને પરસ્પર અત્યંત વિરોધી છે માટે વિલાસથી વિકાસ સાધી શકાતા નથી. વિલાસને ઉદ્દેશી મનાવવામાં આવેલાં મનગમતાં ચિત્તને પસંદ કરનારા, આંખને આનંદ આપનારા, ઉપલેાગની આકાંક્ષાને જગાડનારા, વિષયભાવને વધારનારા, આસકિતને ઉછેરનારા અને અહિરાત્મદશાની દિશામાં ખેંચી જનારા સુંદર સુંદર મકાના, વા, ખારાક તેમજ ખીજા પણ જડના વિકારા વિકાસી આત્માને વિષ જેવા છે. જ્યાં સુધી પૌદ્ગલિક વસ્તુઓમાં આનંદ, સુખ તથા સગવહતાની ખાતર ઉપયાગીપણું જણાતું હૈાય ત્યાં સુધી વિકાસને માટે અનધિકારીપણું કહી શકાય, કારણ કે વિકાસદૃષ્ટિ અન્યા સિવાય વિકાસ સાધી શક્તા નથી, પૌલિક વસ્તુઓમાં રાચકપણ તે વિલાસદષ્ટિનું પરિણામ છે. આવી વિલાસદૃષ્ટિથી આત્મા
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy