SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનની મહત્ત્વતા. : ૧૩૪ : સમુદાય ક્ષાયિક-કેવળ–જ્ઞાનના એક પર્યાયની ખરાખરી કરી શકતો નથી. ઝીણામાં ઝીણા કપડાના પડદો આંખ આડા રાખી જોનારને તેટલુ સ્પષ્ટ જોઈ શકાતુ નથી, જેટલુ` પડદા વગરની સ્વચ્છ આંખાવાળા જોઈ શકે છે. ક્ષાયિક જ્ઞાનવાળાના આત્મપ્રદેશ પરથી જ્ઞાનાવરણનો પડદો સવથા ખસી ગએલા હાય છે, એટલે તેઓ વસ્તુ માત્રને સંપૂર્ણ તથા સ્પષ્ટપણે જાણી શકે છે. મહારની કેાઈ પણ જડ વસ્તુ જાણવામાં હરકત કરી શકતી નથી. જેમ સ્વચ્છ અગ્નિ વસ્તુ માત્રમાં પ્રવેશ કરીને સ્વરૂપવત્ અનાવી શકે છે તેવી જ રીતે સ્વચ્છ સાન પણ વસ્તુ માત્રમાં પ્રવેશ કરીને સ્વરૂપવત્ બનાવી તે સ્વરૂપે રહે છે. જ્ઞાન સ્વરૂપે તો સ્વદ્રવ્યમાં-આત્મામાં રહેલુ' છે, પરંતુ પરરૂપે પરદ્રવ્યમાં જ્ઞેયમાં રહેલુ છે. ઉષ્ણુતા સ્વરૂપે તો પોતાનામાં-અંગારામાં અગ્નિ રહેલા છે, પર’'તુ પરરૂપે અન્ય વસ્તુઓમાં રહી છે. જ્યારે અગ્નિનો પાણી આદિ વસ્તુઓથી વિયેાગ થાય છે ત્યારે પાણી વિગેરેમાં રહેલી દાહકતા અગ્નિમાં રહી જાય છે. જ્યાં સુધી સંચાગ હોય છે ત્યાં સુધી પાણી પણ અગ્નિની જેમ શકય વસ્તુઓને થાડા ઘણા પ્રમાણમાં ખાળી શકે છે, તેવી જ રીતે કાઇ પણ જ્ઞેય જ્ઞાનના સાથે જોડાય છે ત્યારે શેયમાં જ્ઞાન રહેલું હાય છે, પણ જ્યારે શેયથી છૂટુ પડે છે ત્યારે આત્મામાં સ્થિર થાય છે. સંચાગ ઉભયમાં હાય છે અને વિચાગ મૂલ આધારમાં સ્થિર થાય છે. દાહકતા તથા જ્ઞાન તેમ જ બીજા પણ વસ્તુના ધર્મી સ્વરૂપે સ્વધર્મીમાં રહે છે અને પરરૂપે પરધર્મીમાં રહે છે. એટલા માટે જ જ્ઞાતા, જ્ઞેય તથા જ્ઞાનને કથંચિત્ અભિન્ન માનવામાં આવે છે. આ અભિન્નતાના અંગે જ જ્ઞાની, ધ્યાની, દાની આદિ શબ્દપ્રયાગેાની સિદ્ધિ થાય છે.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy