SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકતા રહે છે. તે સિવાય વસ્તુ તે જણાય પણ તેનું સાચું સ્વરૂપ જણાતું નથી, જેથી કરીને માનવી તે વસ્તુને યોગ્ય ઉપયોગ કરીને સાચું ફળ મેળવી શકતા નથી. તે વસ્તુને વિપરીત બેધ તે અજ્ઞાનતા કહેવાય છે અને તે અનુભવજ્ઞાનમાં લેતી નથી. અનુભવજ્ઞાનન્ય માનવી અજ્ઞાની હોવાથી આગમશાસ્ત્રો જાણવા છતાં પણ કષાયને ઉપશમાવી શકતું નથી અને વિષયથી વિરકત બનીને સ્વપરનું શ્રેય સાધી શકો નથી; તેમજ સાચાં સુખ, શાંતિ અને આનંદ પિતે પ્રાપ્ત કરીને બીજાને પ્રાપ્ત કરાવી શકો નથી. અક્ષરજ્ઞાન કે વસ્તુઝાન માત્રથી ધર્મ, મુક્તિ, મૃત્યુ, જન્મ, ગુણ, ષ, સુખ, શાંતિ, આનંદ, સત, અસત વગેરે વગેરે વસ્તુઓનું સાચું સ્વરૂપ સમજાતું નથી અને સાચું સ્વરૂપ ન સમજાવાથી સમભાવ પ્રાપ્ત કરી શકાતો નથી; જેથી કરી સંસારનું ભ્રમણ ટાળી શકાતું નથી. વસ્તુના યથાર્થ બોધ વગરના માનવી કાલ્પનિક જગતમાં ભ્રમણ કરવાવાળા હેય. છે. જો કે કાલ્પનિક વસ્તુઓ આકાશપુપની જેમ અસત હેાય છે, છતાં અજ્ઞાની જીવને સત જેવી ભાસે છે. સત જેવી ભાસે છે ખરી પણ સત વસ્તુનું ફળ આપવાવાળી હોતી નથી, જેને પરિણામે સર્વને અનુભવ થાય છે. ' કાલ્પનિક પણ મનગમતાં શાંતિ, સુખ, આનંદ આદિ મેળવવાને નિરંતર ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરતી, અથવા તો આ બધું ય મેં મેળવ્યું છે એમ માનીને અત્યંત હર્ષપૂર્વક મદઘેલી બનીને માર્ગમૂહોલી ડાહી અને બુદ્ધિશાળી કહેવાતી માનવજાતિ સત તથા . અસત પદાર્થોથી અજ્ઞાત લેવાથી અસત વસ્તુઓમાં જ આનંદ મનાવી રહી છે. સાચા સત્યને ઓળખવાને સંકલ્પ સરખો ય કરતી નથી; કારણ કે અસત્ પદાથીમાં જ સત્યાસીની ગાણું કરીને સત્યને
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy