SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ - જ્ઞાન પ્રદીપ. સંગ્રહ કરે છે. જીએ પોતાના ક્ષણિક જીવનમાં જીવવા ધારણ કરી રાખેલા પંચભૂતમય દેહના સંગને પોતાના ક્ષણિક જીવનને લાંબું કરવા છેડાવીને પોતાના ઉપભેગમાં લે છે. પિતાને પિતાનો જડમય દેહ છોડ ગમતું નથી. કેઈ છોડાવવા પ્રયત્ન કરે કે છૂટી જવાનું કહે તે ઘણું જ દુઃખ થાય છે, પરંતુ બીજા જે માટે તે નિર્દયતાથી બળાત્કારે તેમનો જીવનદીપક બુઝાવી નાંખી મૃત્યુના મ્હોંમાં હડસેલી મૂકવા તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે બીજા જીવન જીવનદીપક બુઝાવી નાંખી પિતાની જીવનતિ પ્રગટાવવા આજ સુધીમાં કઈ પણ સમર્થ થયો નથી. જીવનતિ પ્રગટાવનારાઓ જીવ માત્રના જીવનદીપકને જાળવનારા હોય છે. લાખ દીવા સળગતા હોય તે બધાને બુઝાવી નાખીને પિતાનો દી સળગતે રાખી વધુ પ્રકાશમય બનાવવાની ઈચ્છા રાખવી નિરથક છે; કારણ કે દીવાથી દીવે સળગે છે અને અનેક દીવાએના પ્રકાશથી વધુ પ્રકાશમય બને છે. શરીરના રૂપે જીવની સાથે જોડાયેલા અથવા તે જીવથી છૂટા પડેલા જડ પદાર્થોમાં આસક્ત થયેલા જ્યારે જ્યારે જીવને જુએ છે ત્યારે ત્યારે તેનો નાશ ઇરછે છે. બહારવટીયાઓ-લૂંટારાઓ તે માણસેની પાસે રહેલી ધનસંપત્તિ લૂંટી લઈને જીવતા પણ મૂકી દે છે, માણસોની પ્રાણસંપત્તિનું હરણ કરતા પણ નથી પરંતુ દેહાસક્ત દાનવ જાતિના માણસ તે જીની પ્રાણસંપત્તિ લૂંટીને અસહ્ય દુઃખ દે છે. જીવને ધનસંપત્તિ આપતાં તેટલું દુઃખ થતું નથી, જેટલું દુઃખ પ્રાણસંપત્તિ આપતાં થાય છે; માટે લૂંટારાઓ કરતાં પણ જીવના પ્રાણ હરણ કરનાર અત્યંત નિર્દય હોય છે.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy