SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા ઘણું જીવે એમ આશીર્વાદ આપી વધતુને એકાંતમાં લઈ જઈ કંઇક વાર્તાલાપ કરીને ગઇ. કુમારે વરધનુને પૂછ્યું કે તેણીએ શું કહ્યું ? વરધનુએ કહ્યુ` કે બુદ્ધિલે હારની સાથે લેખ મોકલેલ તેના જવાબ લખી આપો. મે કહ્યું આ લેખ બ્રહ્મદત્ત રાજા પરના છે. તે તું જ કહે કે બ્રહ્મદત્ત કોણ ? તેણીએ કહ્યું આ નગરીના મેાટા શેઠની પુત્રી રત્નવતી તારા પ્રતિ અનુરક્ત બાળપણથી જ છે. હવે તે યૌવન પામી છે. તેણીએ કુકડાના યુદ્ધ પ્રસંગે બ્રહ્મદત્ત કુમારને જોયા છે. તે નહિ મળે તેા મરી જશે. મને તેની દાસી મારફત બધી.. માતમી મળી છે તેા જવાબ લખી આપે. મે` જવાબ લખી. આપ્યા કે બ્રહ્મદત્ત કુમાર પણ રત્નવતીને ચાહે છે. હવે બ્રહ્મદો તેણીના દન અને સંગમના ઉપાયની શેાધમાં કેટલાક દિવસ ગાળ્યા. એક દિવસ બહારથી આવીને વરધનુએ કહ્યું કે, આ નગરના રાજા પાસે દીર્ઘરાજાએ તમને ગાતવા માણસા મોકલ્યા છે. આ સાંભળી સાગરદત્તે બંનેને ભોંયરામાં સંતાડયા. રાત્રિ પડતા કુમારે સાગરદત્તને કહ્યું કે તમે એવી ગોઠવણુ કરો કે અમે અહિંથી ભાગી જઈએ. સાગરદત્ત તે બંનેને લઈ નગર બહાર ગયા. થાડેક દૂર ગયા છતાં સાગરદત્ત પાછા જતા નથી તેમ જાણી કુમારે તેને પરાણે પાછે વાળી બ'ને મિત્રા આગળ ચાલ્યા. માર્ગમાં યક્ષસ્થાનના ઉદ્યાનમાં હથીઆરયુક્ત થના સમીપમાં બેઠેલી એક ઉત્તમ સ્ત્રી જોઈ. તેણીએ ઉભા થઈ તે 'નેને કહ્યું કે કેમ આટલી જ વારમાં આપ બંને અહી' આવી પહોંચ્યા? કુમારે કહ્યું “અમે કેણુ. ૪૨
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy