SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સૌથી પ્રથમ ઘમ બતાવનારા તેઓ હોવાથી તેઓ જ જગતમાં સાચા પરમગુરુ છે. | ગુઃ એટલે અંધકાર અને રુટ એટલે પ્રકાશ અર્થાત અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા જેને જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય તે ગુરુ. ગુરુપદનું આ ઉત્કૃષ્ટ લક્ષણ તેમનામાં બરાબર ઘટે છે માટે તેઓ ઉત્કૃષ્ટ ગુરુ છે. (૭) ઉત્કૃષ્ટ પ્રાણ – બાહ્ય જીવનને આધાર શ્વાસે શ્વાસરૂપી પ્રાણ છે. અને ભાવપ્રાણને આધાર અરિહંત પરમાત્મા છે. જીવ અરિહંત પરમાત્માને મનમાં ધારણ કરે છે, તે તેના ભાવપ્રાણ હણતા નથી અને જે ભગવાનને ભૂલી જાય છે, તે તેના ભાવપ્રાણ હણાય છે અને તેથી તેનું ભાવમૃત્યુ શરુ થઈ જાય છે. આ રીતે ભાવપ્રાણરૂપ-ઉત્કૃષ્ટ પ્રાણના પરમરક્ષક અરિહંત પરમાત્મા હેવાથી તેમના આધારે જ આપણું ભાવપ્રાણ હોવાથી આપણા માટે ઉત્કૃષ્ટ પ્રાણ અરિહંત પરમાત્મા છે. (૮) ઉત્કૃષ્ટ સ્વર્ગ – જેના હૃદયમાં અરિહંત પરમાત્મા છે, તે ઉત્કૃષ્ટ સ્વર્ગમાં વસી રહેલ છે, એમ કહી શકાય. સ્વર્ગ માં પણ અરિહંત પરમાત્માનું નામ રુચતું નથી તે તે સ્વર્ગ પણ નસ્કાગાર જેવું છે. તીર્થકર ભગવતેના કલ્યાણક વખતે અસંખ્ય દેવે મૃત્યુલોકમાં આવે છે અને તે વખતે અ~િ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy