SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નેતાઓની સુખ માટેના આદર્શની હદ હોય છે. મોટે ભાગે તેમને આદર્શ મનુષ્યના શરીરને, ઈન્દ્રિયેને, બુદ્ધિને અને મનને આનંદ પમાડે તેવાં અને આ લેકમાં જ સુખના સાધન પ્રાપ્ત થાય ત્યાં સુધી જ તેમની નજર પહોંચી હોય છે. વળી તે સુખપ્રાપ્તિના સાધનોમાં પણ સર્વ નેતાઓ એક મત ધરાવતા દેતા નથી. સદાચારના માર્ગે જ સુખ મેળવવું, ન્યાય નીતિ ન ઘવાય તેની કાળજી રાખવી, અથવા પ્રથમ ચગ્યતા કેળવવી પછી જ હક્કની માંગણી કરવી. આ બધા નિયમોનું પાલન કરવું જ જોઈએ એ નિયમ લૌકિક બધા નેતા ધરાવતા નથી. અને તેથી તેઓ સાચા સુખને માગે કેવી રીતે દેરવી શકે? સાધનની જ્યાં શુદ્ધિ નથી, જ્યાં સદાચારપાલનને આગ્રહ નથી, જ્યાં સંયમની પ્રતિષ્ઠા નથી ત્યાં કદાચ દુન્યવી સુખ મળી પણ જાય તે પણ તે લાંબે વખત ટકતું નથી અને પચી શકતું નથી પણ પરિણામે બીજા નવાં નવાં અનેક વિકૃત દુઃખે ઉત્પન્ન કરનારું નિવડે છે. જ્યાં પરલોકની પ્રધાનતા નથી, પુણ્યને આગ્રહ નથી, પાપથી પાછા વળવાની વૃત્તિ નથી ત્યાં સાચા માગે સ્થિર બની શકાતું નથી. જ્યારે અરિહંત પરમાત્મા જે માર્ગ બતાવે છે તે માર્ગે ચાલવાથી બીજા કેઈને પીડા આપ્યા વિના, બીજા કેઈનું સુખ લુંટયા વિના આત્મા પિતાની અંદર છુપાયેલા
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy